ગુજરાત

gujarat

વલસાડમાં પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા ધ્યાન અને યોગ શિબિરનું આયોજન કરાશે

વલસાડ શહેરમાં લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ અને પતંજલી યોગ સમિતિ દ્વારા યોગ ચિકિત્સા તેમજ ધ્યાન શિબિરનું આયોજન આગામી તા. 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી યોજાવા જઇ રહ્યું છે. જેની માહિતી પતંજલિ યોગપીઠ હરિદ્વારથી આવેલા સાધ્વી દેવાદિતિએ આપી હતી

By

Published : Jan 27, 2020, 6:21 PM IST

Published : Jan 27, 2020, 6:21 PM IST

ETV Bharat / state

વલસાડમાં પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા ધ્યાન અને યોગ શિબિરનું આયોજન કરાશે

valsad
વલસાડ

વલસાડ : વૈદિક સંસ્કૃતિનું એક અભિન્ન અંગ ગણાતો યોગા એ સમગ્ર વિશ્વ ફલક ઉપર યોગા દિવસ તરીકે ઉજવણીનું માધ્યમ બન્યું છે. ત્યારે ભારતમાં પણ લોકો યોગાસન કરતા થાય અને યોગા દ્વારા પોતાના અંતરના અવાજને ઓળખે અને લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારું રહે એવા ઉમદા હેતુથી પતંજલિ યોગપીઠ દ્વારા સમગ્ર ભારતભરમાં અનેક જગ્યાઓ ઉપર યોગ શિબિરનું આયોજન થાય છે.

વલસાડમાં પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા ધ્યાન અને યોગ શિબિરનું આયોજન

જ્યારે પતંજલિ યોગપીઠ અને લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ તેમજ પતંજલી યોગ સમિતિ દ્વારા શહેરમાં આગામી તા. 29 જાન્યુ. થી 2 ફેબ્રુ.2020 સુધી સવારે 5 વાગ્યાથી સવારે 7-30 સુધી અને તા. 29 થી 31 જાન્યુઆરી 2020 સુધી સાંજે 5 થી 6:30 સુધી પાંચ દિવસીય નિઃશુલ્ક યોગા શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. જે વલસાડના પ્લાઝા બિલ્ડીંગની સામે આવેલા મેદાન તિથલ રોડ ખાતે યોજાશે.

પતંજલિ યોગપીઠ હરિદ્વારથી આવેલા સાધ્વી દેવાદિતિએ આ સમ્રગ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, યોગ શિબિરમાં ભાગ લેવાથી ડાયાબિટીસ, બીપી હાર્ટની તકલીફ થાઇરોઇડ માઈગ્રેન, પથરીના દુખાવા ,ચામડીના રોગો, સ્ત્રી રોગો, નિ:સંતાનપણુ, એલર્જી જેવી અનેક બિમારીઓમાંથી ફાયદો મળે છે. તેમજ યુગઋષિ સ્વામી રામદેવજી મહારાજની શિષ્યા અને તેમના સાંનિધ્યમાં પાંચ દિવસીય નિશુલ્ક યોગ ચિકિત્સા તેમજ ધ્યાન શિબિર યોજાવા જઇ રહી છે. તેમાં પાંચમા દિવસે 11 કુંડી યજ્ઞ દ્વારા યજ્ઞ ચિકિત્સાનો પણ લાભ આપવામાં આવશે.

આ સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન મહિલા પતંજલી યોગ સમિતિ ,ભારત સ્વાભિમાન યુવા ભારત અને કિસાન સેવા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details