ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના અસરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ નાણાપ્રધાને મેળવ્યો

ગુજરાતમાં હાલ ઘણા જિલ્લાઓમાં ભારે (Monsoon Gujarat 2022 )વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લાના ઘણા (Heavy rain in Valsad)વિસ્તારો પ્રભાવિત થયા છે. આ પ્રભાવિત થયેલા વિસ્તારની નાણપ્રધાને મુલાકાત કરી છે. લોકોને પડતી હાલાકી તથા ઘટતી વસ્તુંઓ તાત્કાલીક મળી રહે તે માટે જિલ્લા તંત્રને સૂચનો કર્યા છે.

By

Published : Jul 15, 2022, 7:45 PM IST

વલસાડના અસરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ નાણાપ્રધાને મેળવ્યો
વલસાડના અસરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ નાણાપ્રધાને મેળવ્યો

વલસાડઃ જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત (Heavy rain in Valsad)થયેલા દાણા બજાર વિસ્તારની આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ મુલાકાત લીધી હતી. કનુ દેસાઈએ નુકશાની અંગે નિરિક્ષણ કર્યું અને વેપારીઓ થયેલ નુકશાન અંગે વળતર મળે એ બાબતે ઘટતું કરવા તેઓ પ્રયત્ન કરશેની ખાતરી આપી છે. દાણા બજાર છીપવાડ ક્ષેત્રમાં 4 દિવસ સતત પડેલા વરસાદને પગલે અનેક અનાજની હોલસેલની દુકાનમાં વરસાદી (Monsoon Gujarat 2022 )પાણી ભરાઈ જતા નુકશાન થયું હતું. દરેક દુકાનોમાં 10 ફૂટ સુધીના પાણી ઘુસી ગયા છે. કરોડો રૂપિયાનું અનાજ વરસાદી પાણીને પગલે સડી જવની દેહસેત થઈ છે.

લોકોને પડતી હાલાકી

છીપવાડ દાણા બજારમાં સાફ સફાઈ હાથ ધરાઈ -વલસાડની ઔરંગા નદીમાં (Auranga River in Valsad)પૂર આવવાને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તાર કહેવાતા છીપવાડ દાણા બજારમાં જ્યાં અનેક હોલસેલના વેપારીઓ છે. તમામ દુકાનમાં વરસાદી પાણી અને ઔરંગા નદીના પાણી(Flooding in Auranga River) ફરી વળ્યા હતા જેને પગલે અનેક દુકાનદારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો નદીના પાણી મુખ્ય માર્ગો ઉપર પણ આઠથી દસ ફૂટ જેટલા ભરાઈ ગયા હતા જેના કારણે નદીમાંથી આવતો કાદવ કિચડ પણ મુખ્ય માર્ગ ઉપર ફેલાઈ ગયો હતો. લોકોને આવવાનું માટે મુશ્કેલી પડી રહી હતી. વલસાડ નગરપાલિકા, પાલડી નગરપાલિકા અને સુરત નગરપાલિકા મળી ચાર જેટલી પાલિકાની સફાઈની ટીમ સાથે હાલ પૂરજોસ થી સાફ-સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે. આજે નાણાપ્રધાન કનુ દેસાઈએ આ સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ચોકસાઈ પૂર્વક કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું.

આ પણ વાંચોઃહજી પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર, NDRF બચાવ કામગીરી માટે ખડેપગે

વેપારીઓને વળતર મળે તેવી આશા વ્યક્ત કરી -ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ આજે વલસાડના છીપવાડ દાણા બજાર વિસ્તારની મુલાકાત કરી હતી અને તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દાણા બજારના વેપારીઓ જેમને ભારે નુકસાન થયું છે તેમણે વહીવટી તંત્ર પાસે વળતર મળે તેવી આશા વ્યક્ત કરી હતી. જો કે સમગ્ર બાબતે કનુ દેસાઈએ વેપારીઓને પણ વળતર મળશે અને તે બાબતે તેઓ ઘટતું કરશે તેવી ખાતરી પણ આપી હતી.

આ પણ વાંચોઃગુજરાતમાં મેઘસવારી યથાવત: નવસારી, વલસાડમાં કોહરામ, 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ

જિલ્લાની પરિસ્થિતિનો અહેવાલ મેળવ્યો -નાણાપ્રધાને વલસાડમાં થયેલી તારાજીને જોતા આજે વલસાડના વિવિધ વિસ્તારમાં મુલાકાત કરી હતી. જે બાદ તેઓ જિલ્લાની કલેકટર કચેરીએ પહોંચીને વલસાડ જિલ્લાની પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details