ગુજરાત

gujarat

ETV Bharat / state

Sokhada Haridham Case: વડોદરાના હરિધામમાં બનેલી ઘટના મામલે પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા

વડોદરાના હરિધામ સોખડાનો (Sokhada Haridham) એક વીડિયો વાચરલ થયો હતો. જેમાં હરિધામ પરિસરમાં સેવા આપતા અનુજ ચૌહાણને 6 તારીખના 4 સંતો દ્વારા મંદિરમાં ઘેરીને ઢોર માર (Sokhada Haridham beating incident ) માર્યો હતો. મંદિરમાં વિડીઓ શુટિંગ ઉતરવાના મામલે સંતો દ્વારા માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા અને તેનો વિડિઓ પણ વાઇરલ થયો હતો. આ અંગે પૂજ્ય સંતે સોખડા મંદિરમાં અનુજ સાથે બનેલી ઘટના અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

By

Published : Jan 13, 2022, 1:52 PM IST

Sokhada Haridham beating incident: વડોદરાના હરિધામમાં બનેલ ઘટના મામલે:પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા
Sokhada Haridham beating incident: વડોદરાના હરિધામમાં બનેલ ઘટના મામલે:પોલીસે મંદિરના સંતોના નિવેદન લીધા

વડોદરા:સોખડાના હરિધામમાં (Sokhada Haridham) સેવા આપતા અનુજ ચૌહાણને 6 તારીખના 4 સંતો દ્વારા મંદિરમાં ઢોર માર (Sokhada Haridham beating incident) માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો. ગત તારીખ 6 ની ઘટના પછી અનુજ ચૌહાણ અને તેનો પરિવાર હાલ અજ્ઞાત સ્થળે જતો રહ્યો છે અને ત્યાં થી સોશયલ મીડિયા મારફતે તેના પર સાધુ સંતોનું દબાણ હોવાનું(Sokhada Haridham) જણાવી રહ્યો છે. જેને લઈને સોખડા મંદિર સંત પૂજ્ય શ્રી ત્યાગવલ્લભ સ્વામી સામે આવ્યા(Sokhada Haridham beating incident ) છે અને અનુજને સાથે બેસી ચર્ચા કરવાની વાત કરી હતી.

વડોદરાના હરિધામ

અનુજ સાથે બનેલી ઘટના અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી

સોખડા મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં અનુજ ચૌહાણ કામ કરતો હતો છેલ્લા 5 વર્ષથી યુવક મંદિરમાં સેવા આપે છે અને મંદિરમાં વિડીઓ શુટિંગ ઉતરવાના મામલે સંતો દ્વારા માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા અને તેનો વિડિઓ પણ વાઇરલ (Sokhada Haridham beating incident ) થયો હતો. આ અંગે પૂજ્ય સંતે સોખડા મંદિરમાં અનુજ સાથે બનેલી ઘટના અંગેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃUttarayan 2022 Gujarat: આ વર્ષે સ્વાદ રસિયાઓને ઊંધિયું પડી શકે છે મોંઘું

યુવકને ઘેરીને માર મારવા મામલો

હરિધામ સોખડામાં સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા મામલે ગ્રામ્ય SP સુધીર દેસાઈએ પ્રેસકોન્ફ્રાન્સ યોજી(Sokhada Police station ) જેમાં જણાવ્યું કે, 6 તારીખે અનુજ ચૌહાણની અરજી બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે અને પરિવારજનોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે પોલીસ તપાસમાં વાત સામે આવી છે કે, સંતોએ વિડીયો ઉતારવા બાબતે અનુજને માર માર્યો છે.

આ પણ વાંચોઃTheft incident in Ahmedabad: સ્પા ખોલવાના ઇરાદે કરી ચોરી, અંતે આરોપીઓને જેલમાં જવાનો આવ્યો વારો

ABOUT THE AUTHOR

...view details