ન્હાવા માટે આવેલા મિત્રો પૈકી બે યુવક મહીસાગર નદીમાં તણાઈ ગયા હતા. જે પૈકી એક યુવક અક્ષયકુમાર કાંધારનો મૃતદેહ રવિવારે શોધી કઢાયો હતો. જ્યારે બીજા યુવકની રવિવારથી સ્થાનિક તરવૈયા વડોદરા ફાયરબ્રિગેડ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે સોમવારે બીજા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વડોદરાના મહીસાગર નદીમાં ડૂબેલા બે યુવકોમાંથી બીજા યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરા: જિલ્લાના સાવલી પાસે આવેલ લાંછનપુરા મહીસાગર નદીમાં રવિવારે બે યુવક તણાવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના રહીશ અને વડોદરામાં જોબ કરતા યુવકો નદીમાં ન્હાવા માટે આવ્યા હતા અને પાણીના પ્રવાહમાં તણાયા હતાં.
Second dead body found in vadodara
મહીસાગર નદીના ઉપરવાસમાં આવેલ કડાણાડેમ માંથી છોડાઈ રહેલ પાણીનાં કારણે નદીમાં પ્રવાહ વધારે હોવાથી યુવકો તણાયા હતાં. જેમાં લાંછનપુરાથી ચાર કિ.મી દૂર બીજા 24 વર્ષીય યુવક ચેતન મોરપાણી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.