શહીદ સંજય સાધુના સ્વ.પિતા ગુજરાત પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. સંજય સાધુ શહીદ થતા તેમનો પાર્થિવ દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા એરપોર્ટ ખાતે તેમનો પાર્થિવ દેહ પહોંચતા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને 'ભારત માતા કી જય' અને 'સંજય સાધુ અમર રહો' ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
શહીદ સંજય સાધુનો પાર્થિવદેહ પહોંચ્યો વતન, વડોદરામાં આજે અગ્નિસંસ્કાર
વડોદરા: ઇન્ડો બાંગ્લાદેશ સરહદ પર BSFના ઇન્સપેક્ટર તરીકે સંજય સાધુ ફરજ બજાવી રહ્યા હતા. સરહદ પર પશુ તસ્કરી થતી હોવાની શંકા જતા સંજય સાધુ અને તેમની ટીમે સ્થળ પર દોડ્યા હતા. જો કે, તે સમયે સંજય સાધુનો પગ સ્લીપ થતા તેઓ એક નાળામાં પડ્યા હતા અને શહિદ થયા હતા. જેનો પાર્થિવ દેહ વતન ખાતે પહોંચી ગયો છે. અને આજે અગ્નિસંસ્કાર થશે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા સંજય સાધુ છેલ્લા 9 વર્ષથી દેશની સેવા કરતા હતા. તેઓ ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગત્ત્ તા. 18 ઓગસ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઈ રહી હોવાની શંકા જતા તેમની ટીમ સાથે દોડ્યા હતા. તે સમયે સંજય સાધુનો પગ લપસતા પાણી ભરેલા નાળામાં ડૂબી જતાં શહીદ થયા હતા.
શહીદ સંજય સાધુને ઍરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તે સમયે શાહીદના પરિવારજનો, રાજકીય આગેવાનો સાંસદ, ધારાસભ્યો વડોદરા શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. શહિંદ જવાન સંજય સાધુના પાર્થિવદેહને શહેરની એસ.એસ.જી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે રાખવામાં આવશે અને બુધવારના રોજ તેમના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવશે.