ગુજરાત

gujarat

આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે: PM મોદી

ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણી પ્રચાર માટે આવી રહેલા વડાપ્રધાન મોદી બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ત્રણ સભા સંબોધિત કરશે. હાલમાં જ PM મોદીએ સાબરકાંઠાના હિંમતનગરમાં રેલીને સંબોધિત કરી હતી.

By

Published : Apr 17, 2019, 8:51 AM IST

Published : Apr 17, 2019, 8:51 AM IST

Updated : Apr 17, 2019, 4:14 PM IST

સ્પોટ ફોટો

PM મોદીએ હિંમતનગરમાં શુ કહ્યુ,

  • લોકસભાની 2019ની ચૂંટણીનો ચકરાવો શરૂ થઇ ગયો છે અને રાજકીય પક્ષોના જમા ઉધારના લેખાં જોખાંનો હિસાબ કિતાબ થઇ રહ્યો છે.
  • પહેલાના પ્રધાનમંત્રી ને સાબરકાંઠા આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી ને પણ અહીં લઇ આવ્યો છે. : ઇઝરાયેલની ટેક્નોલોજી નો લાભ આજે સાબરકાંઠાને મળી રહ્યો છે
  • ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષો હું તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છો કે આટલા વર્ષોમાં ક્યારેય આપણા પર કોઈ કલંક લાગ્યો નથી
  • ગુજરાત સરકારને તોડવા માટે દિલ્હી દરબારે આકાશ પાતાળ ભેગા કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ આવા કાર્યો કરી શકે તેવો એમને મોકો નથી આપવાનો
  • જે આખો પરિવાર જામીન પર બહાર છે, દેશને જેમણે લૂંટ્યો છે તેમને સજા આપવી જોઈએ કે નહીં?
  • આખા પરિવારને આ ચા વાળો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે.
  • આપ સૌએ દેશની ચાર ગણી સેવા કરવા માટે મને દિલ્લી મોકલ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેશ પાછલા પાંચ વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે
  • શું આ મહામિલાવટી નેતાઓને ભારતની જનતાની સમજદારી પર ભરોસો નથી. 60 વર્ષમાં તેમણે કેવી કેવી સંસ્થાઓને બરબાદ કરી નાખી
  • ટુકડે ટુકડે ગેંગનો બચાવ કરતા લોકો આ દેશમાં રાજ કરશે કે પછી રાષ્ટ્રભક્તિ કરનારા લોકો દેશની સેવા કરશે તે માટેની આ લોકસભાની ચૂંટણી છે.
  • આપણા દેશ પર આતંકવાદી હુમલા થાય અને તમારો આ પ્રધાનમંત્રી ચૂપ રહે?
  • ઉરી માં હુમલો થાય આપણા જવાનો શાહિદ થાય અને હું ચૂપ રહું?
  • હું સરદાર સાહેબની ભૂમિમાં ઉછરેલો છું, દરેક હુમલાનો હિસાબ લેવો પડે.
  • આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે.
  • કોંગ્રેસના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ઢંઢેરામાં લખેલું છે કે દેશદ્રોહનો કાયદો તે લોકો કાઢી નાખશે.
  • આઝાદી પહેલા કોંગ્રેસ ગાંધીવાદી હતી પરંતુ હવે એજ કોંગ્રેસ પાર્ટી "ગાલીવાદી" બની ગઈ છે
  • પહેલા તેમણે ચા વાળાને ગાળો આપી અને હવે તેઓ ચોકીદારને ગાળો આપે છે
  • ચાર ચાર પેઢીથી ગરીબોની વાત કરે છે કોંગ્રેસ. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે હટી જાઓ દેશમાંથી ગરીબી પણ હટી જશે.
  • તમારે હવે નિર્ણય કરવાનો છે કે પરિવારવાદ, વંશવાદ અને મહામિલાવટી લોકોને ગુજરાતમાં આવવા દેવા છે કે નહીં?
  • કોંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓ પ્રત્યે પહેલેથી અણગમો રહ્યો છે
  • ગરીબો માટે ઘર બનાવવાનું હોય, ગેસ કનેક્શન આપવાના હોય કે ઘરે ઘરે વીજળી પહોંચાડવાની હોય અમારી સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે.
  • આજે ફરી હું ગુજરાત પાસે 26માંથી 26 કમળ મેળવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. તમે ભાજપના ઉમેદવારને મત આપશો, તે મત નરેન્દ્ર મોદીના ખાતામાં પડવાનો છે
    PM મોદીની હિંમનગરમાં રેલી
Last Updated : Apr 17, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details