ગુજરાત

gujarat

મારા અંગત કારણોસર મે તમાચો માર્યોઃ તરૂણ ગજજર

By

Published : Apr 19, 2019, 8:26 PM IST

સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાવામા આવી હતી. જેની અંદર હાર્દિક પટેલ સભાનું સંબોધન કરવાના હતા. હાદિક પટેલ જ્યારે સભાને સંબોધન કરવા ઉભા થયા તે દરમિયાન અચાનક તરૂણ ગજજર નામના વ્યક્તિએ હાર્દિકને લાફો માર્યો હતો, અને તુરંત જ લાફો મારનાર વ્યક્તિને લોકો અને મહિલાઓ દ્રારા માર મારવામા આવ્યો હતો.

સ્પોટ ફોટો

તેમજ આ હાર્દિક પટેલ પરના હુમલાની ધટનાને પગલે થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થાનિક પોલીસ દ્રારા તુરંત પરિસ્થિતિને કાબૂમા લઈને ફરી હાદિકે સભાને સંબોધન શરૂ કરયુ હતુ. ત્યાર બાદ હાર્દિક પટેલ દ્વારા વઢવાણ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. અને ફરીથી બલદાણા ગામ તરફ રાવાના થયા હતા. ત્યારે આ સભામા કોંગ્રેસના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેવા સમયે હાર્દિક પટેલનો વિરોધ થતાં રાજકીય ગરમાવો સર્જાયો હતો. જ્યારે હાર્દિક પટેલે આ વિરોધ પક્ષનું કાવતરું હોવાનું જણાવયુ હતુ.

મારા અંગત કારણો સર મે તમાચો માર્યોઃ તરૂણ ગજજર

તેમજ આ બાબતે તરૂણ ગજજર જણાવ્યું હતુ કે, આદોલનના સમયમાં જે મુશ્કેલી મારા અને મારા પરિવારને ખૂબ પડી હતી. તેમજ આ મારો પોતાનો વિરોધ છે, અને આની પહેલાઓની સભાની અંદર મોકો ન મળતા કાલ રાત્રથી સુરેન્દ્રનગર આવી ગયા હતા. હાલ તો આ ધટનાને લઈને સમગ્ર રાજકીય માહોલ ગરમાયો છે. તેમજ તરૂણ ગજજરને માર મારતા વધુ ઈજા થતા પહેલા લિબંડી ત્યાર બાદ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

આ બાબતને સુરેન્દ્રનગર જિલ્લાના SP મહેન્દ્ર બગડીયા, ત્રણ DYSP અને ઉચ્ચ અધિકારીઓ ધટનાને લઈને એલર્ટ થઇ ગયા હતા, અને આ બાબતે જિલ્લા SP મહેન્દ્ર બગડીયા જણાવ્યું હતુ કે, હાર્દિકની સભાની અંદર થયું તેને આગળની તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details