સુરત: મહાનગરપાલિકાના(Surat Municipal Corporation)પે એન્ડ યુઝ શૌચાલય પર (Surat Pay Use Toilet)ગણપતિનુ ચિત્ર દોરતા વિવાદ સર્જાયો છે. કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પર સુરત મહાનગરપાલિકા દ્વારા ગણપતિનું ચિત્ર બનાવવામાં આવ્યું શૌચાલયની દીવાલ પર ગણપતિનું ચિત્ર બનાવવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ છે. હિન્દુ સંગઠન દ્વારા આ મામલે(Wall Painting Concept)વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
પેઇન્ટીંગના નામે ગણપતિ, કવિ નર્મદનું ચિત્રાંકન કરી દેવાયું
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય(Surat Vishwa Hindu Parishad )ખજાનચી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાલ શહેરભરમાં વોલ પેઇન્ટીંગ કરીને સુશોભિત કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂકાયો છે. પંરતુ આ કન્સેપ્ટમાં સ્થળ સ્થિતિનું ભાન રાખ્યા વગર વિવેક ચૂક કરીને કાપોદ્રાના રવાણી ફેક્ટરીની સામે ફ્લાય ઓવર બ્રિજની નીચે જાહેર શૌચાલયની દિવાલ પર વોલ પેઇન્ટીંગના નામે ગણપતિ બાપ્પા, કવિ નર્મદનું ચિત્રાંકન કરી (Pictures of heroic poet Narmad )દેવાયું હતું. આ ચિત્ર જોઈને અનેક હિન્દુઓ સુરતીઓની લાગણી દુભાતા સોમવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જાહેર શૌચાલયની દિવાલ પરથી ભગવાનનું ચિત્ર દૂર કરી દીધું હતું.