ગુજરાત

gujarat

By

Published : Mar 8, 2022, 2:38 PM IST

ETV Bharat / state

Wall Painting Concept:મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરતા વિવાદ

સુરત મહાનગરપાલિકાના(Surat Municipal Corporation)પે એન્ડ યુઝ શૌચાલય(Pay and use toilet) પર ગણપતિનુ ચિત્ર દોરતા વિવાદ સર્જાયો હતો. કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા શૌચાલય પર ગણપતિનું ચિત્ર બનાવવામાં આવ્યું શૌચાલયની દીવાલ પર ગણપતિનુ ચિત્ર બનાવવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ છે.આ મામલેહિન્દુ સંગઠન દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Wall Painting Concept:મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનુ ચિત્ર દોરતા વિવાદ
Wall Painting Concept:મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનુ ચિત્ર દોરતા વિવાદ

સુરત: મહાનગરપાલિકાના(Surat Municipal Corporation)પે એન્ડ યુઝ શૌચાલય પર (Surat Pay Use Toilet)ગણપતિનુ ચિત્ર દોરતા વિવાદ સર્જાયો છે. કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલય પર સુરત મહાનગરપાલિકા દ્વારા ગણપતિનું ચિત્ર બનાવવામાં આવ્યું શૌચાલયની દીવાલ પર ગણપતિનું ચિત્ર બનાવવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ છે. હિન્દુ સંગઠન દ્વારા આ મામલે(Wall Painting Concept)વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

પેઇન્ટીંગના નામે ગણપતિ, કવિ નર્મદનું ચિત્રાંકન કરી દેવાયું

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય(Surat Vishwa Hindu Parishad )ખજાનચી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાલ શહેરભરમાં વોલ પેઇન્ટીંગ કરીને સુશોભિત કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂકાયો છે. પંરતુ આ કન્સેપ્ટમાં સ્થળ સ્થિતિનું ભાન રાખ્યા વગર વિવેક ચૂક કરીને કાપોદ્રાના રવાણી ફેક્ટરીની સામે ફ્લાય ઓવર બ્રિજની નીચે જાહેર શૌચાલયની દિવાલ પર વોલ પેઇન્ટીંગના નામે ગણપતિ બાપ્પા, કવિ નર્મદનું ચિત્રાંકન કરી (Pictures of heroic poet Narmad )દેવાયું હતું. આ ચિત્ર જોઈને અનેક હિન્દુઓ સુરતીઓની લાગણી દુભાતા સોમવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જાહેર શૌચાલયની દિવાલ પરથી ભગવાનનું ચિત્ર દૂર કરી દીધું હતું.

આ પણ વાંચોઃHijab Row in Surat : હિજાબ સમર્થનની રેલી યોજનારા AIMIM પક્ષના 3 આયોજકોની કરાઇ અટકાયત

વીર કવિ નર્મદના ચિત્રોનું ચિત્રાંકન સ્થળ

દિનેશ નાવડીયાએ પાલિકાની વોલ પેઇન્ટીંગ કન્સેપ્ટની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કાપોદ્રામાં જાહેર શૌચાલયની દિવાલ પર જે રીતે દેવાધીદેવ ગણેશ ભગવાન તેમજ સુરતના પનોતાપુત્ર વીર કવિ નર્મદના ચિત્રોનું ચિત્રાંકન સ્થળ, સ્થિતિ, વિવેક જાળવ્યા વગર કરી દેવાયું હતું. હાલ તુરત તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આ હિન્દુઓની લાગણી દુભાય એ પહેલા ભગવાનનું ચિત્ર દૂર કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ ચેતવણી આપે છે કે હવે પછી જો વોલ પેઇન્ટીંગના ચિતરામણમાં હિન્દુ દેવી દેવતાઓ, સ્વતંત્રતાના લડવૈયાઓ કે અન્ય મહાપુરુષોના ચિત્રાંકનમાં વિવેક ભૂલવામાં આવશે તો એ સાંખી નહીં લેવાય.

આ પણ વાંચોઃTeaching Through Painting In Deesa: ડીસાની સરકારી શાળાની શિક્ષિકાનો બાળકોના શિક્ષણ માટે અનોખો પ્રયોગ

ABOUT THE AUTHOR

...view details