ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ: કોર્ટે ગુનેગારો સામે નોટીસ જાહેર કરી 27 મી જુલાઈએ હાજર રહેવા કર્યો આદેશ

સુરત: સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા અગ્નિકાંડ મામલે સુરતના RTI એક્ટિવિસ્ટ દ્વારા કુલ 13 મુદ્દા સાથે PIL દાખલ કરવામાં આવી છે અને કોર્ટે 13 પૈકીના 3 મુદ્દા આવરી સાત વિભાગો સામે નોટિસ ઇશ્યુ કરી આગામી 27 મી જુલાઇ ના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. બિલ્ડીંગમાં ફાયર સેફટી મુદ્દે તાત્કાલિક સીલની કાર્યવાહી સહિત 3 મુદ્દાઓ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે.

By

Published : Jun 14, 2019, 6:25 PM IST

સુરત

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમ વિધાર્થીઓ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોતના મુખમાં હોમાઈ ચુક્યા છે. હમણાં સુધી તંત્રની કાર્યવાહીથી મૃતક વિધાર્થીઓના વાલીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓ દ્વારા પણ આ અંગે તંત્રના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ સાથે ઉચ્ચ ન્યાયાલયમાં PIL કરવામાં આવી છે. જ્યાં સુરતના RTI એક્ટીવીસ્ટ દ્વારા પણ ઉચ્ચ ન્યાયાલયમાં 13 મુદ્દાઓ સાથે PIL કરવામાં આવી છે.

સુરત અગ્નિકાંડ: કોર્ટે ગુનેગારો સામે નોટીસ જાહેર કરી 27 મી જુલાઈએ હાજર રહેવા કર્યો આદેશ

જ્યાં કોર્ટે 13 પૈકીના 3 મુદ્દાઓને ધ્યાનમાં લઈ 7 વિભાગોને નોટિસ ઇસ્યુ કરી છે. જેમાં સુરત પોલીસ કમીશ્નર, મ્યુન્સિપલ કમિશ્નર, સરથાણા PI, PGVCL, ફાયર ચીફ ઓફિસર સહિતના વિભાગનો સમાવેશ થાય છે. 3 મુદ્દાઓ સૌથી મહત્વનો મુદ્દો ફાયર સેફટી વિના ઉભી થયેલી બિલ્ડીંગને તાત્કાલિક સીલ કરવામા આવે. આ સિવાય ઇન્સ્યોરન્સ મુકવામાં આવે. જેથી કરી ઘટના સમયે ભોગ બનનારના પરિવારને વળતર મળી શકે.

RTI એક્ટિવિસ્ટની PIL બાદ કોર્ટે આ તમામ વિભાગના અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરી આગામી 27 મી જુલાઇ ના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. જવાબદાર અધિકારીઓ સામે જ્યુડિશિયલ તપાસ અને IPS કક્ષાના અધિકારીઓને ક્રિમિનલ તપાસની માગ પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details