ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાતા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોનો વિરોધ

સુરત: તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના માથે માછલા ધોવાતા કાર્યવાહીનો દૌર શરૂ કર્યો છે. જ્યાં છેલ્લા 4-5 દિવસથી પાલિકાની ટીમ દ્વારા શાળા, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિતના જગ્યાઓ પર કરવામાં આવેલ ગેરકાયદે પતરાના શેડ તેમજ બાંધકામનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જો કે, પાલિકાની આ કામગીરીનો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો અને ઉધના ઝોન ખાતે મોરચો માંડ્યો હતો.

By

Published : May 31, 2019, 3:33 PM IST

સુરત

ઉધના ઝોનમાં આશરે ત્રણસો જેટલા વિવર્સ દ્વારા ઉગ્ર રજુઆતની સાથે મોરચો માંડવામાં આવ્યો હતો. તેઓની રજુઆત હતી કે, તક્ષશિલાની ઘટના બાદ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખાતાના ઉપરથી પતરા શેડ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત ફોગવાના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફોગવાએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ નોટિસ આપ્યા વિના કે જાણ કર્યા વિના જ પતરાના શેડ દૂર કરવામાં આવી રહ્યા છે. આ અંગે પાલિકાએ સમાધાનકારી વલણ અપનાવી વિવર્સને નોટિસ આપી સાત દિવસ અથવા તો પંદર દિવસ સુધીનો સમય ફાળવવો જોઈએ.

સુરતમાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાતા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના લોકોનો વિરોધ

ત્યારે આ અંગે હજારોની સંખ્યામાં વિવર્સ એકઠા થઇ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ આગામી દિવસોમાં કરશે. જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉપવાસ સહિત કચેરી બહાર રામધૂન કરી પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details