સરકારી શાળાના બાળકોને કોરોનાથી બચાવવા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
સૂરતની સરકારી શાળાના બાળકોને કોરોના વાયરસની ભીતિથી બચાવવાના પગલાંરુપે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં બાળકોને કોરોનાથી બચાવની સમજ પણ આપવામાં આવી હતી.
સરકારી શાળાના બાળકોને કોરોનાથી બચાવવા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
સૂરત : વિશ્વભરમાં કોરોના વાયરસ ચિંતાનો વિષય બની ગયો છે. ભારતમાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના કારણે બે મોત થયાં છે. ત્યારે આ વાયરસ માટે લોકોમાં જનજાગૃતિ આવે તેવા પગલાં ઝડપી બનાવવામાં આવી રહ્યાં છે. સૂરત કોર્પોરેશન દ્વારા આને લઇને સરકારી શાળામાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
Last Updated : Mar 14, 2020, 5:20 PM IST