ગુજરાત

gujarat

By

Published : Nov 4, 2022, 3:49 PM IST

Updated : Nov 4, 2022, 4:15 PM IST

ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય ચહેરા અંગે સુરતની જનતાના સ્પષ્ટ બોલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર ( Gujarat Assembly Election 2022 ) થઈ ગઈ છે ત્યારે આ ચૂંટણીમાં જે તે પાર્ટીનો મુખ્ય ચહેરો પણ ખૂબ જ મહત્વનો મુદ્દો બને છે. કારણ કે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ ફક્ત ચહેરો જોઈને જ મત આપતા હોય છે. સુરતની જનતાનો ( Surat People Opinion on Candidates Selection ) શું મત છે જાણીએ.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય ચહેરો અંગે સુરતની જનતાના સ્પષ્ટ બોલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય ચહેરો અંગે સુરતની જનતાના સ્પષ્ટ બોલ

સુરતગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માટે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયાઓ શરુ થઈ ગઇ છે. ત્યારે સીએમ પદના ચહેરા માટે સુરતની જનતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. સુરતમાં અલગ અલગ લોકોને આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો કે તેઓ સીએમ પદ પર કયો ચહેરો પસંદ કરે છે. ત્યારે સુરતની જનતાએ ( Surat People Opinion on Candidates Selection ) મન મૂકીને પોતાની વાત કહી હતી.

સુરતની જનતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે

સુરતના સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે( Surat People Opinion on Candidates Selection ) આપણે ત્યાં અલગઅલગ ચૂંટણીઓ થતી હોય છે. એમાં દેશ, રાજ્ય અને સ્થાનિક ચૂંટણી એમ ત્રણ પ્રકારની ચૂંટણીઓ હોય છે. એટલે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે અલગ અલગ મતદારોની પોતાની વાતો હોય છે. પરંતુ દેશના સુરક્ષાની વાત આવે તો તેમને મહત્વ આપતાં હોય છે. રાજ્યની વાત આવે તો એમાં ચહેરો પણ મહત્વનો હોય છે. જયારે સ્થાનિક ચૂંટણી હોય તો લોકલ વ્યક્તિ કેવો હોય કયા પ્રકારનો છે તે ધ્યાનમાં રાખતા લોકો મતદાન કરતા હોય છે. પરંતુ રાજ્યની ચૂંટણી છે એટલે એક મત પ્રમાણે ચહેરો મહત્વનો લાગતો નથી. જે તે પાર્ટીએ પોતાની કામગીરી કઈ રીતે કરી હોય એ કામગીરી પર લોકો વધારે ધ્યાન આપતા હોય છે.

સુરતના સામાજિક કાર્યકર્તા સન્ની રાજપૂતે જણાવ્યું હતું કે ( Surat People Opinion on Candidates Selection )દર વખતે વડાપ્રધાનનો ચહેરો જોઈએ જ છીએ. પરંતુ આપણા વિધાનસભાના નેતાઓ છે તેમને જોઈને આપણે મત આપતાં હોય છે. એટલે કે વિધાનસભામાં નેતાઓ કામ કરતા હોય છે તેમને જોઈને આપણે મત આપતા હોય છે. જેમ કે મજૂરા વિધાનસભાની વાત કરવામાં આવે તો અહીં વર્ષોથી હર્ષ સંઘવી સારું કામ કરે છે. એટલે તેમનો ચહેરો જોઈ અહીં લોકો મત આપે છે અને આ વખતે પણ મત આપશે.

સુરતના સામાજિક કાર્યકર્તા કમલેશ સોનીએ જણાવ્યું હતું કે રાજ્યની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એટલે હું એક મતદાર તરીકે હું વિકાસ મત આપીશ. કારણ કે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તથા આગળના ભવિષ્યમાં જે વિકાસ થવાનો છે. એટલે મને લાગે છે કે આના કરતાં વધુ વિકાસ થઈ શકશે. સારા વ્યક્તિ અને સારા પાર્ટીની વિચારધારા હોય તો ( Surat People Opinion on Candidates Selection ) થઇ શકશે.

સુરતમાં જમીન દલાલ કમેલ કુશ્વાએ મત વ્યક્તકર્યો હતો કે ચૂંટણીઓમાં તો પાર્ટી જોઈને જ મતદાન કરવું જોઈએ. ચહેરો જોઈને પણ મતદાન કરવું જોઈએ. કારણ કે કયો વ્યક્તિ કયા પ્રકારનો છે. કોઈ વ્યક્તિ ક્રિમિનલ છે તેમની ઉપર કેટલા કેસો છે. તો શું આપણે એમને મત આપીશું કે પછી જે વ્યક્તિ સમાજના લોકોની સેવા કરી રહ્યો છે. કોઈ અનહોની ઘટના બને એમાં સમાજની સેવા કરતો હોય એવા વ્યક્તિને પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે તો એમને મત આપીશું. નહીં તો જે પાર્ટી દેશ અને સમાજ માટે વિચાર કરી રહ્યું હોય તેમને મત ( Surat People Opinion on Candidates Selection ) આપીશું.

સુરતના સામાજિક કાર્યકર્તા શિવકુમાર માણેકલાલ શાહે જણાવ્યું હતું કે હું ચિન્હ જોઇને મોત આપું છું. ( Surat People Opinion on Candidates Selection )કારણકે એમનો વિકાસ 70 વર્ષનો જોવા મળી રહ્યો છે. હું તો કમળને મત આપીશ. બાકી બધા જે લોકો ખોટા વાયદાઓ કરે છે. આપ પાર્ટી તે ઝાડુને લાયક જ છે. એ ખોટેખોટા વાયદાઓ કરે છે. જયારે કમળનો વિકાસ લોકોને દેખાઈ રહ્યો છે. મોંઘવારી છે પણ વિકાસ છે એટલે અમે ભાજપને મત આપીશું.

સુરતમાં શેરદલાલ તરીકે કામ કરતા વાસુ દેસાઇએ કહ્યું હતું કે ચહેરો તો વિકાસને ( Surat People Opinion on Candidates Selection )જ કહેવાય અને વિકાસ ઉપર જ મત અપાય અને જે લોકો વિકાસની વાત કરી શકતા હોય વિકાસના મુદ્દાઓ હોય એવા જ વ્યક્તિને મત આપાય. અન્યને મત ના અપાય. મોંઘવારી છે મોંઘવારી રહેવાની છે. કારણ કે અત્યારે જ આપણે કોરોનાકાળમાંથી બહાર આવ્યા છે. એટલે થોડો વખત મોંઘવારી નડશે. આપણે સ્વનિર્ભય બની જઈશું. તો પછી આપણને મોંઘવારીની અસર રહેશે નહીં. કારણ કે આપણી આવક પણ વધશે.

Last Updated : Nov 4, 2022, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details