સુરત: શહેરના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી પરપ્રાંતીય બે બાળકોની માતાએ એકલતાનો લાભ લઇ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
સુરતમાં બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, કારણ અકબંધ
સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતી બે બાળકોની માતાએ આપઘાત કરતા ચકચાર મચી છે.
સુરત
આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.