ગુજરાત

gujarat

સાબરકાંઠાના ઈડર નજીક કારમાં ભીષણ આગ લાગતા કારચાલક બળીને ખાખ

By

Published : Nov 5, 2019, 6:08 PM IST

સાબરકાંઠા: ઈડર નજીક સુરપુર રોડ ઉપર દોડતી અલ્ટો કારમાં અચાનક જ આગ લાગતા કારચાલક તે અકસ્માતનો જ ભોગ બન્યો હતો અને કાર સાથે ચાલક પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી.

સાબરકાંઠાના ઈડર નજીક કારમાં ભીષણ આગ લાગતા કારચાલક બળીને ખાખ

ઇડરના ફલાસણના જીતુભાઈ પટેલ પોતાની કાર લઇ ઈડર તરફ આવી રહ્યા હતાં. તે દરમિયાન અચાનક જ કારમાં આગ લાગી હતી. આગ લાગવાને પગલે કારનો દરવાજો ન ખૂલતા કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.

સાબરકાંઠાના ઈડર નજીક કારમાં ભીષણ આગ લાગતા કારચાલક બળીને ખાખ

જોકે ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવેલા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતાં. પરંતુ, આપણી ગુજરાતી કહેવત છે ને કે, કાળને કોણ રોકી શકે. આગ પર કાબુ મેળવાય તે પહેલા જ કારચાલક બળીને ખાખ થઈ ગયા હતાં, આ સમગ્ર ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અરેરાટી વ્યાપી હતી. ઈડર પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details