ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત

રાજકોટઃ શહેરના કોટડાસાંગાણીના રાજપરા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા ગામ નજીકની વાડીમાં વીજળી પડતા ખેડુતની 2 લાખની કિંમતની ભેંસનુ મોત થયુ હતુ.

By

Published : Jun 25, 2019, 11:49 PM IST

રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીના રાજપરા ગામે વશરામ સોરઠિયાની વાડી વાવવા રાખતા મૂળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહેવાસી આંબાભાઈ સોલંકી ગામ નજીક આવેલ કોટડાસાંગાણી રોડ પરની વાડીમાં લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ભેંસ પર ગાજવીજ સાથે પડી રહેલા વરસાદ દરમિયાન વીજળી પડતા દરરોજ 8 લીટરથી વધુ દૂધ આપતી અને 2 લાખની કિંમતની ભેંસનુ ઘટના સ્થળેજ મોત નીપજયુ હતુ. બનાવ અંગે ખેડુતે રાજપરા સરપંચ કિશોર વિરડિયાને ટેલિફોનીક જાણ કરતા તેઓ વાડીએ દોડી આવ્યા હતા.

રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત

ABOUT THE AUTHOR

...view details