ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેેસ ધારાસભ્ય લલિત વસોયા પાણી મુદ્દે ઉપવાસ પર...

રાજકોટ: જિલ્લાના ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમનું કેમિકલયુક્ત પાણીને બદલે નર્મદાનું પાણી આપવાની માગ નાયબ કલેક્ટરને લેખિતમાં કરી હતી. પરંતુ કોઇ જવાબ ન મળતા આજે તેઓ નાયબ કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય પાણી મુદ્દે ઉપવાસ પર બેઠયા

By

Published : May 5, 2019, 2:10 PM IST

Updated : May 5, 2019, 2:16 PM IST

ગઇકાલે રાજકોટ જિલ્લાની પાણીની સમસ્યા માટે પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બેઠક યોજાઇ હતી. આમંત્રણ આપ્યું હોવા છતાં પણ લલિત વસોયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. લલિત વસોયાની સાથે મોટા કાર્યકરો પણ આ આંદોલનમાં જોડાયા છે. ઉપવાસ પર બેસતા પહેલા લલિત વસાયોનું ધોરાજી સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં, ડાયાબીટીસ અને સુગર લેવલ હાઇ હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. આ મુદ્દે તબીબોએ ઉપવાસ ન કરવા સલાહ આપી હતી અને કહ્યું છે કે, આમરણાંત ઉપવાસ કરવાથી વસોયાની તબિયત લથડી શકે છે.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય પાણી મુદ્દે ઉપવાસ પર બેઠયા

ધોરાજી સહિતના વિસ્તારની પાણી સમસ્યા મામલે લલીત વસોયાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. રજૂઆતપત્રમાં જણાવ્યું હતું કે, ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 60 જેટલા ગામોમાં ભાદર-2 આધારિત પાણી આપવામાં આવી રહ્યું છે. જે જેતપુર ડાઈંગ અને પ્રિન્ટિંગના યુનિટોનું કલર અને કેમિકલયુક્ત પાણી છે. જે પાણી પીવાલાયક નથી છતાં તંત્ર દ્વારા માનવતા નેવે મૂકી આપવામાં આવી રહ્યું છે. જેતપુર-ધોરાજી-ઉપલેટાને પીવા માટે નર્મદાનું પાણી કરોડોના ખર્ચે બલ્ક યોજના અંતર્ગત આપવાનું નક્કી થયું હતું. આ યોજના ઘણા સમયથી પૂર્ણ થઈ ગઈ હોવા છતા લોકોને હેરાન કરવાના ઇરાદાથી ભાદર-2 ડેમનું પ્રદૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે.

Last Updated : May 5, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details