- રાજ્યની મહાનગર પાલિકાઓ દ્વારા જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓને દૂર કરી
- રાજકોટમાં 13 મહિનામાં 400 પશું કતલખાનામાં કાપાયા
- રાકોટમાંમ પાડા અને ભેંસને પકાપવાની મંજૂરી
રાજકોટઃરાજકોટ સહિત રાજ્યની મહાનગર પાલિકાઓ(Municipal Corporations of the State including Rajkot) દ્વારા જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની (Eggs and nonveg on public roads)લારીઓને દૂર હટાવી રહી છે. જેને લઇને ETV BHARAT દ્વારા રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં કોર્પોરેશન દ્વારા મંજૂરી (Approved by the corporation in one year)બાદ કેટલા પશુઓ કતલખાનામાં કપાયા છે. તેને લઈને એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે છેલ્લા 13 મહિનામાં રાજકોટમાં 400થી વધુ પશુઓને કતલખાનામાં (Animal slaughterhouse )કાપવામાં આવ્યા છે. જોકે આ માટેની એક અલગ જ પ્રક્રિયા હોય છે. તે મુજબ કાયદાકીય પ્રક્રિયા કરીને પશુઓને કતલખાનામાં કાપવાની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની કતલખાનામાં કાપવાની મંજૂરી રાજકોટમાં છૂટ આપવામાં આવી છે.
પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી
કોર્પોરેશન દ્વારા ભેંસ અને પાડાને કતલખાનામાં કાપવા માટેની મંજૂરી આપવામાં (Animal slaughterhouse )આવતી હોય છે. આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેમાં સૌથી વધુ ભેંસ કપાતી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 13 મહિનામાં 400થી વધુ પાડા અને ભેંસને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી બાદ જ આ પશુઓને કતલખાનામાં કાપવાની છૂટ આપવામાં આવતી હોય છે. જ્યારે જે પણ નોનવેજના વેપારીઓ છે. કોર્પોરેશનમાંથી આ અંગેની દુકાન ધરાવવાનું લાયસન્સ આપવામાં આવતું હોય છે. તે મજુબ જ પશુઓને કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે રાજકોટમાં વધુમાં વધુ એક અઠવાડિયામાં 40 જેટલા પશુઓને કાપવાની મંજૂરી હોય છે. સમગ્ર પ્રોસેસ રાજકોટ મહાનગરપાલિકા ની દેખરેખ હેઠળ થતી હોય છે અને ત્યારબાદ આ પશુને કતલખાનામાં કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે.
પશુ ડોકટર પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત