ગુજરાત

gujarat

By

Published : Dec 26, 2021, 8:07 PM IST

ETV Bharat / state

ચૂંટણીઓ સોશિયલ એન્જિનિયરિંગનીના આધારે જ રાજકીય પક્ષો લડે છે- સુનિલ જોશી

આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજાનાર છે. ત્યારે 2 દિવસ પહેલા જ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, જેને લઈને આગામી સમયમાં ગુજરાતના પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર થશે કે નહીં અને હાલમાં ગુજરાતમાં સોશિયલ એન્જિનિયરિંગનીની (social engineering) જરૂર છે કે નહીં તે જાણવા માટે ETV દ્વારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનિલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ગુજરાતના રાજકારણ અંગેની ઘણી ચર્ચાઓ કરી હતી.

ચૂંટણીઓ સોશિયલ એન્જિનિયરિંગનીના આધારે જ રાજકીય પક્ષો લડે છે- સુનિલ જોશી
ચૂંટણીઓ સોશિયલ એન્જિનિયરિંગનીના આધારે જ રાજકીય પક્ષો લડે છે- સુનિલ જોશી

રાજકોટ:રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનિલ જોશીએ ગુજરાતમાં સોશિયલ એન્જિનિયરિંગની જરૂર (social engineering) છે તે કે નહીં તે અંગે જણાવ્યું હતું, કે કોઈપણ ચૂંટણી સોશિયલ એન્જિનિયરિંગનીના (Elections based on social engineering) આધારે જ લડવામાં આવતી હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી હાલ સરકાર છે, તેમજ તેનું જે વીંનિગ કોમ્બિનેશન છે, તેમાં બહુ મોટા ફેરફાર નથી જોવા મળ્યાં પરંતુ તાજેતરમાં જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત કરવામાં આવી છે.

હાલના પ્રધાનમંડળમાં કુલ 23 જેટલા પ્રધાનો

રૂપાણી સરકારના પ્રધાન મંડળમાં હાલ કુલ 23 જેટલા પ્રધાનો છે, જેમાંથી પ્રધાનો પાટીદાર સમાજના છે, જ્યારે ગુજરાતમાં પાટીદાર બાદ બીજા નંબરે કોળી સમાજ આવે છે, ત્યારે કોળી સમાજના પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવડીયાને હાલ પ્રધાનમંડળમાં સમવામાં આવ્યા છે, જ્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોળી સમાજનું સોશિયલ એન્જિનિયરિંગનું બેલેન્સ કરી શકાય છે, જ્યારે આગામી દિવસોમાં ખેડૂત વર્ગને પણ સોશિયલ એન્જિનિયરિંગમાં સમાવી શકાય છે.

કેબિનેટમાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ વધુ

ગુજરાતના કેબિનેટ પ્રધાનોની વાત કરવામાં આવે તો, 4થી 5 જેટલા કેબિનેટ પ્રધાનો પાટીદાર છે, જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, જયેશ રાદડિયા, સૌરભ પટેલ સહિતના પ્રધાનો સમાવેશ થાય છે, જેને લઈને કહી શકાય છે કે, કેબિનેટમાં પાટીદાર પ્રધાનોનું પ્રતિનિધિત્વ વધુ છે, ત્યારબાદ ક્ષત્રિય સમાજના પણ 2 આજે કોળી સમાજના પણ 2 છે. જ્યારે OBC અને SCના મળીને કુલ 5 જેટલા પ્રધાનો છે. આ સાથે જ નાની નાની જ્ઞાતિના 1-1 પ્રધાનો છે.

આ પણ વાંચો:

Tripura Poll Results : ભાજપનો ક્લીન સ્વીપ, CPI(M)ના સુપડા સાફ, નડ્ડાએ કહ્યું લોકશાહીની જીત

વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

ABOUT THE AUTHOR

...view details