- 5 દર્દીઓના મોત બાદ પણ મેયર બોલ્યા મોટી જાનહાનિ ટળી
- વડાપ્રધાન, મુખ્યપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
- મેયરના નિવેદનથી રાજકારણ ગરમાયું
રાજકોટઃ રાજકોટમાં પાંચ પાંચ દર્દીઓના કોરોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટનામાં દાઝેલો અન્ય દર્દી હજી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધા અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી શોક પ્રગટ કરી ચૂક્યા છે. પરંતુ ઘટના સ્થળે મુલાકાત માટે આવેલ મેયર બીનાબેન આચાર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કુદરતી ઘટના છે જો કે મોટી જાનહાનિ ટળી છે.
મેયર બીનાબેન આચાર્યએ કહ્યું, મોટી જાનહાનિ ટળી
જ્યારે વધારામાં ઉદય શિવાનંદ હોસ્પિટલ પાસે મનપાનું NOC સર્ટિફિકેટ હોવાનું પણ જણાવ્યું હતું અને સાથે જ મનપાના ફાયરવિભાગના સમયસર આગ બુજવામાં માટે કામગીરીની સરાહના કરી હતી. જો કે આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીના મોત થયા હોવા છતાં મેયર બીનાબેન આચાર્યએ કોઈ મોટી જાનહાનિ નહિ થઈ હોવાનું જણાવ્યું હતું. રાજકોટના પ્રથમ નાગરિકના આ પ્રકારનું નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યું છે.