ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ભરૂડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભરૂડી વાંઘેશ્વર મહાદેવ મંદિર પાસે કાર પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિશોરી તેમજ મહિલાનું મોત નિપજયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ ખસેડાયા હતા.

By

Published : Feb 16, 2020, 6:23 PM IST

રાજકોટના ભરૂડી પાસે બે કાર વચ્ચે અકસ્માત, 2ના મોત
રાજકોટના ભરૂડી પાસે બે કાર વચ્ચે અકસ્માત, 2ના મોત

રાજકોટઃ જિલ્લાના વાંધેશ્વર મહાદેવ મંદિર પાસે સાઈડમાં ઉભેલી GJ 03 LG 8218 નંબરની કાર પાછળ GJ 03 AB 7224 નંબરની કાર ધડાકાભેર અથડાતા તેમાં મુસાફરી કરી રહેલા નિકિતાબેન રાજેશભાઈ ગોસ્વામી (ઉંમર વર્ષ 11) (રહે ચારણ સમઢીયાળા તાલુકો જેતપુર) તેમજ મીનાબેન મનીષભાઈ જસાણી (ઉંમર વર્ષ 51 રહે કાલાવડ રોડ રાજકોટ) વાળાઓને ગંભીર ઈજા થતા મોત નિપજ્યા હતા.

રાજકોટના ભરૂડી પાસે બે કાર વચ્ચે અકસ્માત, 2ના મોત

જ્યારે કાર ચલાવી રહેલ રાજેશભાઈ રઘુભાઈ ગોસ્વામી, અસ્મિતાબેન પંકજભાઈ જસાણી તેમજ હીનાબેન નરેન્દ્રભાઈ મીઠીયાને ગંભીર ઈજા થતાં પ્રાથમિક સારવાર ગોંડલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

રાજકોટના ભરૂડી પાસે બે કાર વચ્ચે અકસ્માત, 2ના મોત

આ અકસ્માતના સેવાકાર્યમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ તેમજ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ટીમ જોડાઈ હતી. ઘટનાને પગલે તાલુકા PSI અજયસિંહ જાડેજા જમાદાર ભગીરથસિંહ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details