ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામીનારાયણ મંદિરે મહિલાઓને શોભનીય વસ્ત્રો પહેરવા કરી ટકોર

જૂનાગઢઃ જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર આ મંદિરમાં પ્રવેશ કરતી વખતે મહિલા ભક્તો દ્વારા હિન્દુ સંસ્કૃતિને શોભે અને ધર્મની વ્યાખ્યામાં આવે તેવા પરિધાન ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. ભારત વર્ષમાં એવા ઘણા મંદિરો છે, જ્યાં આજે પણ આ પ્રકારના નિયમો અમલમાં છે. ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલા નિર્ણયને આવકારદાયક માનવામાં આવી રહ્યો છે.

By

Published : May 6, 2019, 8:14 PM IST

સ્વામીનારાયણ મંદિર દ્વારા  મહિલા ભક્તોના વસ્ત્રોને લઈને કરાયો  અનોખો નિર્ણય

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા એક અનોખો પરંતુ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર મંદિર પરિસરમાં પ્રવેશ કરતા દરેક ભક્તો માટે એક આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ આદર્શ આચારસંહિતા મુજબ મંદિરમાં પ્રવેશ કરતાં દરેક ભક્તો આદેશોનું પાલન કરે તેના માટે અમલ કરવામાં આવી રહ્યો છે.

મંદિર પરિસરમાં કેફી પીણું, ધુમ્રપાન કરતા, સિગારેટો, બીડી તેમજ કપડાને લઈને એક આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. જે અંતર્ગત ખાસ કરીને મહિલાઓએ કેવા વસ્ત્રો પહેરી અને મંદિરમાં પ્રવેશ કરવો તેના પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

સ્વામીનારાયણ મંદિર દ્વારા મહિલા ભક્તોના વસ્ત્રોને લઈને કરાયો અનોખો નિર્ણય
સમય બદલાતા દરેકના માણસ પર હવે આધુનિકતા વધુ મજબૂત અને પકડ ધરાવતી જાય છે ત્યારે સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિમાં ધર્મસ્થાનો અને મંદિરો માટે એક ચોક્કસ અને આદર્શ પ્રકારના પરિધાનની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સમય અને સંજોગ બદલાતા ભક્તો આધુનિક અને ધર્મને ન શોભે તેવા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતા હોય છે જેને લઇને ધાર્મિક ભાવનાઓની સાથે ભગવાનનું પણ ક્યાંક અપમાન થતું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને મહિલાઓ દ્વારા જે પ્રકારે વસ્ત્રો પરિધાન કરીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવામાં આવે છે. તેને લઈને થોડી નારાજગી જોવા મળી હતી. આજ કારણે સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ કરીને મહિલા ભક્તો કે જે મંદિરમાં દર્શનાર્થે આવે છે. તેવા તમામ ભક્તો હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને ધર્મમાં શોભે તેમજ ધર્મનું આચરણ વધુ ગાઢ બને તેવા પ્રકારનાં વસ્ત્રો પહેરીને મંદિર પ્રવેશ પરિસરમાં પ્રવેશ કરવો તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારત વર્ષમાં આવેલા કેટલાય મંદિરો છે જેમાં ભક્તો દ્વારા કેવા પ્રકારનો પોશાક ધારણ કરીને મંદિર પરિસર કે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવો એવા દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.જેની સાથે આજે પણ કોઈ સમાધાન કરવામાં આવતું નથી.

ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલો નિર્ણય સનાતન હિન્દુ સંસ્કૃતિને વધુ ગાઢ બનાવશે તેમજ હિંદુ ધર્મ અને આપણી ધાર્મિક માન્યતાઓને જે રીતે પુરાણોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.જો ધર્મનું આચરણ ભક્તો દ્વારા કરવામાં આવે હિન્દુ ધર્મની સાથે જોડાયેલા મંદિરો અને દેવસ્થાનો તેના અલૌકિક સત્યને જાળવી રાખવામાં મદદરૂપ બનશે.













ABOUT THE AUTHOR

...view details