- ગૌરક્ષક અને શૌર્યના પ્રતીક ગણાય છે જશરાજદાદ
- લગ્નમંડપ છોડી ગાયોને બચાવવા જતાં પામ્યા હતા વીરગતિ
- જશરાજ દાદાની જન્મજયંતિ નિમિત્તે કરાયું દાન પુણ્ય
પોરબંદર: આજે શનિવારે લોહાણા સમાજના કુળદેવતા તથા ગૌરક્ષક અને શૌર્યના પ્રતીક એવા વીર દાદા જશરાજની જ્યંતિ નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા ગાયોને 251 કિલો ઘઉં અને ગોળના લાડુ ખવડાવવામાં આવ્યા હતાં. આ સેવાકાર્યમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા.
શોર્ય દિવસ તરીકે ઉજવાય છે જશરાજ દાદાની જયંતિ
વીર દાદા જશરાજ કે જે લોહાણા સમાજના કુળદેવ તથા ગૌરક્ષક ધર્મ રક્ષક અને શૌર્યના પ્રતીક ગણાય છે. ઐતિહાસિક કથા મુજબ વીરદાદા જસરાજ પોતાનો લગ્નમંડપ છોડી દુશ્મનથી ગાયોને બચાવવા માટે ગયા હતા, જયાં તેઓ વીરગતિ પામ્યા હતા. જેથી જશરાજ દાદાની જયંતિને શોર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજે શનિવારે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં લોહાણા યુવા સેના દ્વારા આ દાન પુણ્યનું કાર્ય કરવામાં આવ્યું હતું.