ગુજરાત

gujarat

ETV Bharat / state

31st May: વિશ્વ તમાકુ નિષેધ દિવસે પોરબંદરમાં રેલી યોજી ઉજવણી

પોરબંદર : પોરબંદર ખાતે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓની રેલી યોજાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયત ખાતેથી આ રેલી સવારના 9 કલાકે શરૂ થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી, તમાકુથી થતાં રોગો બાબતે જન-જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

By

Published : May 31, 2019, 10:09 PM IST

31મી મે  વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી યોજાઈ

તમાકુની પ્રોડકશનના બોક્સ ઉપર તમાકુ હાનિકારક હોવાની ચેતવણી છાપવા છતાં લોકો સતત તમાકુનું સેવન કરે છે. આજે વિશ્વમાં દર 6 સેકન્ડે એક વ્યક્તિનું અને વર્ષે 10 લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિનાં 11 મીનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. અંદાજે 18 ટકા હાઇયર ફિલ્ડનાં વિધાર્થીઓ સિગારેટ કે તમાકુનું સેવન કરે છે. 10માંથી 9 ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર છે.

31મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રેલી યોજાઈ
તમાકુનું વ્યસન લોકો માટે ખતરનાક હોવા છતાં કરોડો લોકોની સવાર તમાકુથી જ શરૂ થાય છે અને રાત પણ તમાકુના સેવનથી પડે છે. મોતનો સામાન અહીં 1-1 રૂપિયામાં પડીકી સ્વરુપે વેચાય છે અને લોકો હોંશથી તેને ખરીદે છે અને દરરોજ ધીમા ઝેરને શરીરમાં પધરાવી મૃત્યુને આવકારે છે. આ બધી બાબતો ધ્યાને લઇ આપણે શું કરવું જોઇએ? વ્યસન મુક્ત જીંદગી સાથે ખુશહાલ જીવન અપનાવીએ.

ABOUT THE AUTHOR

...view details