- તાવ, સરદી, ઉધરસ જેવા કોરોનાને લગતા લક્ષણો જણાય તો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરાવવો : ડો.જનાર્દન જોષી
પોરબંદરઃ સિવિલ સર્જન ડો.પરમારે જણાવ્યુ કે, RTPCR ટેસ્ટમાં જે પોઝિટિવ આવે એ જ ફાઇનલ પોઝીટીવ એવી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે. જો કોઇ જગ્યાએ સિટી સ્કેનમાં શંકાસ્પદ ચિત્ર આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવુ પડે છે. ફક્ત સિટી સ્કેનને ધ્યાનમાં રાખીને કોઇ કેસ પોઝિટીવ કે નેગેટીવ છે તેવુ કંઇ શકાય નહી. RTPCR ટેસ્ટમાં જ ખ્યાલ આવે છે કે કોઇપણ પોઝિટીવ કે નેગેટીવ છે. ડો.પરમારે વધુમાં જણાવ્યુ કે, કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાને એકટિવ કેસોને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે.