ગુજરાત

gujarat

By

Published : Apr 19, 2020, 12:33 AM IST

ETV Bharat / state

મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા પોરબંદરની COVID-19 હોસ્પિટલની મુલાકાતે

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા COVID-19 વાઇરસને અટકાવવાના ભાગ રૂપે 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેની મુલાકાત લેતા મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા તેની મુલાકાત લેવાઇ હતી.

પોરબંદરમાં COVID-19 અંતર્ગત ઉભી કરાયેલી હોસ્પિટલની મુલાકાત મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા
પોરબંદરમાં COVID-19 અંતર્ગત ઉભી કરાયેલી હોસ્પિટલની મુલાકાત મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા

પોરબંદરઃ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા COVID-19 વાઇરસ સંક્રમણ અટકાવવા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તાએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ તથા મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પોરબંદરમાં COVID-19 અંતર્ગત ઉભી કરાયેલી હોસ્પિટલની મુલાકાત મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા

આઇસોલેશન વોર્ડ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે કલેકટર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી સાથે સમીક્ષા કરી હતી.

પોરબંદરમાં COVID-19 અંતર્ગત ઉભી કરાયેલી હોસ્પિટલની મુલાકાત મુખ્ય રાજ્યવેરા કમિશ્નર જે.પી.ગુપ્તા
આ સંદર્ભે ગુપ્તાએ જણાવ્યુ કે, કોરોના વાઇરસનાં કારણે જે ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઇ છે. જેને પહોંચી વળવા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સથી માંડીને કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં અલગથી COVID-19ની 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પણ સારી સગવડતા ઉભી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલને પણ ડેડીકેટેડ હોસ્પિટલ બનાવાઇ છે. રાજ્ય સરકારનો હેતુ છે કે, કોઇપણ પડકાર ઉભો થાય તો તેને પહોંચી વળવા સક્ષમ છીએ.

નવી હોસ્પિટલમાં દર્દીઓને જે સગવડ જોઇએ તે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે, પોરબંદરમાં કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ ભવિષ્યમાં નોંધાય નહીં, તેમ છતાં જરૂર લાગે તે સંજોગોમાં બધી રીતે દર્દીઓને ચોક્કસ અને સારી સારવાર આપી શકાય. તે માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ કરેલી કામગીરી શ્રેષ્ઠ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ અધિકારી જે.પી.ગુપ્તાને રાજ્ય સરકાર દ્વારા COVID-19 અંતર્ગત દરેક જિલ્લામાં તૈયાર કરાયેલી 100 બેડની હોસ્પિટલ, અંતર્ગત રાજ્યનાં 14 જિલ્લાઓમાં કોરોના અંતર્ગત ખાનગી હોસ્પિટલો ઉભી કરવાની તથા તે હોસ્પિટલોને સુવિધા સંપન્ન તથા મોનીટરીંગ કરવાની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી રહી છે.

આ પ્રસંગે વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ડૉ. રૂપાલી મહેતા, જોઇન્ટ કમિશ્નર જી.એસ.ટી કમલ શુક્લ, આસીસ્ટન્ટ કમિશ્નર જનક ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર તન્ના, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details