ગુજરાત

gujarat

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાથી થયેલા નુકસાનની ઔપચારિક મુલાકાત લેવા અર્જુન મોઢવાડીયા પહોંચ્યા

By

Published : Jun 14, 2019, 4:44 PM IST

પોરબંદરઃ શહેરની મુલાકાતે આવેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના જણાવ્યું કે સરકારે જનતાની આર્થિક મદદ કરવી જોઇએ. વધુમાં જણાવ્યું કે વાવાઝોડુ આવ્યુ નથી તો પણ નુકશાન નોંધાયેલ છે. જેની સરકાર કોઇ ગંભીરતા લેતી નથી અને સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય છે.

પોરબંદર

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાની અસરથી બંદરે થયેલ નુકસાન અંગે જાણકારી મેળવવા માટે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા માછીમારોની મુલાકાત લેવા આવ્યા હતા.

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે મુલાકાત લેતા અર્જુન મોઢવાડીયા
અર્જુન મોઢવાડીયા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીને બીરદાવી હતી, પરંતુ બેફામ થતા બાંધકામો પર નિયંત્રણ કરવામાં આવે તો, આવી આપત્તીઓને ટાળી શકાય છે. જેમાં સરકાર નિષ્ફળ નીવડી છે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details