ગુજરાત

gujarat

વન્યજીવ શેરાને તાંત્રિક વિધિ માટે વેચનારા 6 શખ્સની ધરપકડ

By

Published : Jul 28, 2019, 11:12 PM IST

Updated : Jul 29, 2019, 9:31 AM IST

પોરબંદરઃ અંધશ્રદ્ધા અનેક લોકોનો ભોગ લે છે. ત્યારે અંધશ્રદ્ધામાં પાગલ બનેલા લોકો તાંત્રિક વિધિમાં વન્ય જીવોનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવી વન્યજીવ શેરાનો તાંત્રિકવિધિ માટે વેપાર કરનારા 6 શખ્સોની ધરપકડ કરી છે.

porbandar

અંધશ્રદ્ધામાં પાગલ બનેલા લોકો તાંત્રિક વિધિમાં વન્ય જીવોનો પણ ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોરબંદર વન વિભાગ દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવી વન્યજીવ શેરા નો તાંત્રિકવિધિ માટે વેપાર કરનારા છ શખ્સોની ધરપકડ કરી છે

લોકોને રાતોરાત પૈસાદાર બનાવી દેવા માટે તાંત્રિકો અને ષડયંત્ર વરસતા હોય છે અને જેમાં વિધિના બહાને કોઈ વન્યજીવન પર તાંત્રિક વિધિ કરી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. જેમાં અનેક લોકો ફસાઈ જતા હોય છે. આવી રીતે તાંત્રિકવિધિ માટે વન્યજીવ શેરાને શોધી આપનાર અને તેનો વેપાર કરતો દ્વારકાના વરવાળા ગામના ધીરજલાલ પરસોતમ અસવાર અનેક લોકોને આ કાર્ય માટે ફસાવતો હતો અને શેરા માટે તેણે જામજોધપુરના બમથિયા ગામમાં રહેતા પબા વલ્લભ ગુજરાતી વન્ય જીવ શેરો પકડીઆપતો હતો. જેમાં તેને કમિશન મળતું હતું.

વન્યજીવ શેરા નેતાંત્રિક વિધિ માટે વેચનાર 6 શખ્સોની ધરપકડ


તારીખ 27/07/2019 ના રોજ વનવિભાગના અધિકારીઓ એ છટકું ગોઠવ્યું હતું. જેમાં શેરાનો સોદો કરી આપનાર શખ્સોમાં મીઠાપુરમાં દરજી કામ કરતા દીપેન ભીખુભાઈ પરમાર તથાય દ્વારકામાં મજૂરી કામ કરતો હુસેન ફકીરમામદ સૈયદ તથા મદદગાર તરીકે ડ્રાયવિંગનો વ્યવસાય કરતા જામનગરના આસિફ અનવર સકીયા, તેમજ જામજોધપુરમાં બમથીયા ગામનો મૂળજી ખોડા બગડા ચારેય અલગ અલગ વાહન મારફતે પોરબંદરની ગોઢાણીયા કોલેજ પાસે રાત્રીના 11.45 વાગે વનવિભાગના કર્મચારી ને 10 લાખમાં શેરો વેચવા આવ્યા હતા. જ્યા તેઓને સ્ટાફ દ્વારા ઘેરી લઈ વન્ય જીવ શેરા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

તમામ આરોપીઓ તેઓની વાતચીતમાં પણ "ડોકટર આવશે" તેવા કોડવર્ડ આપી એકબીજાને ફોનપર માહિતી આપતા હતા. 776 ગ્રામ વજન ધરાવતા શેરાને વનવિભાગ દ્વારા પોરબંદરના પક્ષી અભ્યારણમાં રાખવામા આવ્યો છે. આમ વન્યજીવ અપરાધની કાયદાકીય જોગવાઈ અનુસાર શેરો જોગવાઈ 4માં આવે છે અને વન્યજીવન હેરાફેરી અને નુકસાન કરવાની 1972 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અંદાજિત 40 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ આર એફ ઓ જે બી ગઢવી એ જણાવ્યું હતું.

આ સમગ્ર ઓપરેશનમાં ડી. સી.એફ ડી જે પંડયા, આર.એફ.ઓ જેબી ગઢવી , આર.એફ.ઓ અમિત વાણીયા, ફોરેસ્ટર મહેન્દ્ર ચૌહાણ, ફોરેસ્ટ ગાર્ડ એ.આર મેવાડા અને આર.બી મોઢવાડીયા અને ગ્રીન વાઈલ્ડ લાઈફ સોસાયટીના સભ્યો તથા wildlife crime control bureaના સભ્યો દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

Last Updated : Jul 29, 2019, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details