પાટણના એડવોકેટ પંકજ વેલાણી પર ગત 2 જુલાઇ 2018ના રોજ પાટણ A ડિવિઝન પોલીસ મથકે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મહિલાએ કોઈનો હાથો બની ષડ્યંત્ર રચી ખોટા પુરાવાઓ ઊભા કરી ખોટું સ્થળ દર્શાવી ખોટી ફરિયાદ કરી હોવાનું ફલિત થતાં એડવોકેટે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લીધો હતો.
પાટણના વકીલને દુષ્કર્મની ખોટી ફરિયાદમાં ફસાવનાર 6 વિરૂદ્ધ ગુનો નોંધાયો
પાટણના એડવોકેટ પર સામૂહિક દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસની બી સમરી વિથ પ્રોસીકયુશનના રિપોર્ટના આધારે રદ થતા અને કોર્ટે એડવોકેટને દુષ્કર્મના આ કેસમાં નિર્દોષ જાહેર કરી ફરિયાદ ખોટી હોવાનો ચુકાદો આપ્યો હતો. પોતાની પ્રતિષ્ઠા પર દાગ લાગતા અને સમાજમાં બદનામી થતા એડવોકેટે પાટણ શહેર A ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મની ખોટી ફરિયાદ કરનાર તથા સમગ્ર કાવતરુ ઘડનાર 6 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાટણ
જે દરમિયાન તારીખ 21 ડિસેમ્બર 2018ના રોજ આ કેસની તપાસના અંતે પોલીસે બી સમરી વિથ પ્રોસીક્યુશનના રિપોર્ટ પાટણ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 30 જાન્યુઆરી 2020ના રોજ વકીલ આ કેસમાં નિર્દોષ હોવાનું તેમજ ફરિયાદ ખોટી હોવાનો હુકમ કર્યો હતો.
દોઢ વર્ષે કાનૂની લડત બાદ વકીલને ન્યાય મળ્યો છે, ત્યારે આ ખોટી ફરીયાદ કરવા બદલ મહિલા સહિત અન્ય પાંચ મળી કુલ 6 વ્યક્તિઓ સામે એડવોકેટે પાટણ A ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.