ગુજરાત

gujarat

ST વિભાગ દ્રારા દિવાળીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસોનું આયોજન

By

Published : Oct 23, 2019, 4:29 PM IST

પંચમહાલ: દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે તહેવારને અનુલક્ષીને બહારગામ રહેતા લોકોને પોતાના વતન આવવા માટે ગોધરા ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

etv bharat

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા તારીખ 22 થી 27 સુધી દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને પોતાના વતનમાં જવા માટે પૂરતા પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

ST વિભાગ દ્રારા દિવાળીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસોનું આયોજન

જેમાં આ વર્ષે સીટીએમ ચાર રસ્તા અમદાવાદથી તેમજ ગોલ્ડન ચોકડી વડોદરાથી તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફથી ગોધરા તરફ આવનાર તમામ મુસાફરો માટે માદરે વતન જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ દરેક ડેપો ખાતે રિટર્ન થનાર મુસાફરો માટે પણ બસનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી દરમિયાનના સમયમાં પણ ઓનલાઇન બુકિંગ કાઉન્ટરો સતત કાર્યરત રાખવામાં આવશે અને એડવાન્સ બુકીંગ કરાવીને સરળતાથી મુસાફરી કરી શકાશે. હાલ ગોધરા સહિતના ડેપો ખાતે પણ દિવાળીના તહેવારને લઈને મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ તેમજ આસપાસના દાહોદ મહિસાગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો કામકાજ અર્થે અન્ય મોટા શહેરોમાં જતા હોય છે. પરંતુ, દિવાળીના તહેવારની ઉજવણી પોતાના માદરે વતનમાં જ ભારે ધૂમધામથી કરે છે.

ABOUT THE AUTHOR

...view details