ગુજરાત

gujarat

By

Published : Aug 2, 2019, 11:52 PM IST

ETV Bharat / state

નવસારીના ચીખલીના ચરીગામે 65 વર્ષિય વૃદ્ધ તણાયો, NDRF દ્વારા છેલ્લા 24 કલાકથી સર્ચ ઓપરેશન

નવસારીઃ દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં મેહુલાએ મેઘ-મહેર કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને આહવા -ડાંગમાં વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવાની સાથે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. સાથે જ પાણીના પ્રવાહમાં તણાય જવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. જેમાં નવસારીના ચીખલીના ચરી ગામે 65 વર્ષિય વૃદ્ધ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેની કોઈ પણ ભાળ હજુ સુધી મળી નથી.

નવસારીના ચીખલીના ચરીગામે 65 વર્ષિય વૃદ્ધ તણાયો, NDRF દ્વારા છેલ્લા 24 કલાકથી સર્ચ ઓપરેશન

રાજ્યમાં મેધ મહેરને લઇને તણાઇ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક કિસ્સો જિલ્લાના ચીખલીના ચરી ગામે થયો છે જેમાં 65 વર્ષના એક વૃધ્ધ પાણીમાં તણાયા હતા. જેની આજ સુધી પણ કોઇ ભાળ ન મળતા તંત્ર દ્નારા NDRFની મદદ લેવાઇ હતી. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલ્યા ડેમની જળ સપાટી 111,95 મીટર પહોંચી હતી. જેની ઓવરફ્લો સપાટી 113,40 મીટર થતા પાણીની આવક 1307 ક્યુસેક જેટલી થઇ છે .

નવસારીના ચીખલીના ચરીગામે 65 વર્ષિય વૃદ્ધ તણાયો, NDRF દ્વારા છેલ્લા 24 કલાકથી સર્ચ ઓપરેશન

જયારે જુજ ડેમની જળ સપાટી 167,50 મીટર પહોંચી હતી. તેમજ ઓવરફ્લો સપાટી 167,85 મીટર હોય પાણીની આવક 1500 ક્યુસેક જેટલી નોંધાઈ છે. જેને લઇ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા ,કાવેરી નદીમાં સ્તર વધતા જિલ્લાના વાંસદા,ચિખલી ,ગણદેવી તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા 23 ગામોના લોકોને નદી કિનારા નજીક ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details