ગુજરાત

gujarat

નવસારીમાં જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચક્યો, પોલીસ કાફલો ખડકાયો

નવસારી: રીઢા ગુનેગારો જેલની હવા ખાધા બાદ પણ સુધરતા નથી. પેરોલ પર છુટેલા આરોપીએ નવસારીના કબીલપોર ગામમાં આવીને બબાલ મચાવી હતી. જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચકતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

By

Published : Oct 15, 2019, 3:13 AM IST

Published : Oct 15, 2019, 3:13 AM IST

Police set up a convoy in Navsari

નવસારી નજીક આવેલ કબીલપોર ગામમાં રાત્રે સુરતના એક રીઢા ગુનેગારે જોગીવાડ ફળિયામાં બે ઈસમો સાથે મારામારી કરી હતી. ત્યારબાદ ફરીથી સોમવાર બપોરે તલવારો સાથે આવીને બે ઈસમોને ઝખ્મી કરી બબાલ મચાવી દીધી હતી. આ ઘટનામાં એક મહિલાને લઈને સમગ્ર મામલો ચગ્યો હતો, જેથી સામ સામી અથડામણ થઈ હતી. ત્યારબાદ આરોપી ભાગી રહ્વાયો હતો તે દરમિયાન અકસ્માત થતા પોલીસ પકડમાં આવ્યો હતો.

નવસારીમાં જૂની અદાવતમાં તલવારો ઉછળતા મામલો બીચક્યો

અકસ્માતમાં ઘાયલ આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે તલવારથી ઝખ્મી થયેલા બે ઇસમોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સામ સામી અથડામણ થઈ હતી અને ત્યારબાદ આરોપી ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો જેથી આરોપી પોલીસ પકડમાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details