ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona case in Navsari : નવસારીમાં ત્રણ શિક્ષકો અને એક પ્રાદ્યાપક કોરોના પોઝિટીવ

નવસારી જિલ્લામાં ધીમી ગતિએ ચાલતો કોરોના(Corona case in Navsari) હવે ગતિ પકડી રહ્યો છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાનો મુખમાં જઈ રહ્યા છે. જેમાં ત્રણ શિક્ષકો અને એક પ્રાદ્યાપક કોરોના પોઝિટીવ(teachers corona positive cases in navsari) આવતા શિક્ષણ જગતમાં વધ્યા વ્યાપી છે. શિક્ષકો પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ(department of health in navsari) દોડતુ થયુ છે અને શિક્ષકોના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઇ કોરોનાને વધતો અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

By

Published : Dec 15, 2021, 9:21 AM IST

Corona case in Navsari : નવસારીમાં ત્રણ શિક્ષકો અને એક પ્રાદ્યાપક કોરોના પોઝિટીવ
Corona case in Navsari : નવસારીમાં ત્રણ શિક્ષકો અને એક પ્રાદ્યાપક કોરોના પોઝિટીવ

  • ચીખલીના તેજલાવની આશ્રમ શાળાના શિક્ષકો આવ્યા પોઝિટીવ
  • શિક્ષકો પોઝિટીવ આવતા શાળાના વિદ્યાર્થીઓના પણ સેમ્પલ લેવાયા
  • જિલ્લામાં અત્યાર સુધીમાં ૯ શિક્ષકો બન્યા છે કોરોનાનો શિકાર

નવસારીઃ નવસારી જિલ્લામાં સતત કોરોનાના કેસ(Corona case in Navsari) વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં નવેમ્બર મહિનામાં કોરોનાના કુલ 33 પોઝિટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કોરોનાએ ગતિ પકડી છે. ડિસેમ્બરના બે અઠવાડિયાની અંદર 34 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પોઝિટીવ(teachers corona positive cases in navsari) થતા બાળકોને લઇ વાલીઓ ચિંતામાં મુકાયા છે. ચીખલી તાલુકાના ત્રણ શિક્ષકો અને એક પ્રાધ્યાપક કોરોના પોઝિટીવ આવતા શિક્ષણ જગતમાં ચિંતાની ચકચારી મચી છે.

શિક્ષકો પોઝિટીવ આવતા શાળાને 5 દિવસ માટે બંધ રાખવાની સૂચના

તેજલાવ આશ્રમ શાળાના 35 વર્ષીય શિક્ષક પોઝિટીવ આવતા, શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 25 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને શાળાને 5 દિવસો માટે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. જયારે તેજલાવના 33 વર્ષીય પ્રધ્યાપક અને ચીમલા ગામના શિક્ષક દંપતી પણ પોઝિટીવ નોંધાયા છે. શિક્ષકો પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગે(department of health in navsari) સતર્કતા રાખી, તેમના સંપર્કમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટ(corona test in navsari) કર્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 29 વિદ્યાર્થીઓ પણ થયા કોરોના પોઝિટીવ

નવસારી જિલ્લામાં નવેમ્બરથી કોરોનાના(Navsari Corona Update) કેસ વધી રહ્યા છે. પરંતુ શેક્ષણિક કાર્ય શરૂ થયા બાદ શાળા, કોલેજ, ITI નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 29 વિદ્યાર્થીઓ અને 9 શિક્ષકો કોરોનાનો શિકાર બન્યા છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા પણ શાળાઓમાં સ્ક્રીનીંગ આરંભ્યુ હતુ. જેમાં જિલ્લામાં 12 હજારથી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Corona Ex Gratia In Gujarat: કોરોનાથી 10,093 લોકોના નહીં, 22 હજારના મોત! સહાયના આંકડાથી ઊઠ્યા પ્રશ્ન

આ પણ વાંચોઃ corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ

ABOUT THE AUTHOR

...view details