ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2020, 9:11 PM IST

ETV Bharat / state

નવસારીમાં રાશનકાર્ડ વગરના 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

નવસારી જિલ્લામાં રાશન કાર્ડ વિનાના જરૂરિયાતમંદોને પુરવઠા વિભાગ દ્રારા અન્ન બ્રહ્મ યોજના હેઠળ 7 હજારથી વધુ રાશન કિટોનું વિતરણ કરવામાં આવશે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 90 ટકા રાશન કાર્ડ ધારકોને વિનામુલ્યે રાશન વિતરણ કરવામાં આવ્યું છે.

ો
નવસારીમાં રાશનકાર્ડ વગરના 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

નવસારી: કોરોનાની મહામારીને કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનને કારણે ગરીબો, શ્રમિકો અને મધ્યમ વર્ગને મોટો ફટકો પડયો છે. જોકે સરકાર દ્વારા બીપીએલ, અંત્યોદય સહિત એપીએલ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું રાશન વિનામુલ્યે આપવાની જાહેરાત કરતા લોકોને થોડી રાહત થઈ છે. સાથે રાશન કાર્ડ ન ધરાવતા શ્રમિકો, ગરીબો, પરપ્રાંતિયોને પણ અનાજની કીટ આપવાની સરકારે જાહેરાત કરી છે.

નવસારીમાં રાશનકાર્ડ વગરના 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

જેને આધારે જિલ્લામાં 7 હજારથી વધુ લોકો કે જેમની પાસે રાશન કાર્ડ નથી, એમને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તેમજ પરિવાર દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો ચણાદાળ અને 1 કિલો મીઠું વિતરણ કરવામાં આવશે.

નવસારીમાં રાશન કાર્ડ ના ધરાવતા 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

રાશન કાર્ડ વિનાના લોકો માટે નવસારીના દશેરા ટેકરી સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાં મામાલતદારોની ઉપસ્થિતિમાં રાશન કીટ બનાવવામાં આવી હતી. જેને આવતા સોમવારથી સર્વેમાં જણાયેલા જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.જ્યારે જિલ્લામાં 1 એપ્રિલથી શરૂ થયેલી સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લાના 1.56 લાખ કાર્ડ ધારકોને એટલે કે 90 ટકા લોકોને વિનામુલ્યે સરકારી અનાજનું વિતરણ કરાવામાં આવ્યું છે.

નવસારીમાં રાશન કાર્ડ ના ધરાવતા 7 હજારથી વધુ લોકોને રાશન કીટ અપાશે

ઉલ્લેખનીય છે કે, એપીએલ કાર્ડધારકોને સરકારી જાહેરાત બાદ પણ અનાજ ન મળતા તેમનામાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details