નવસારીઃશિયાળો એટલે શરીરને સ્વસ્થ રાખવાની ઋતુ. આ ઋતુમાં લીલા શાકભાજી વિપુલ પ્રમાણમાં ખવાતા હોય છે. ત્યારે આવા શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે. અહીં ઠંડીની સાથે વાદળછાયું વાતાવરણ રહેતા શાકભાજી પાકોમાં જીવાતજન્ય રોગ થયા હતા. તેના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ઘણી શાકભાજીમાં બમ્પર પાક થયો છે, પણ APMCમાં પોષણક્ષમ ભાવો ન મળતા સારો પાક હોવા છતાં ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોને ફાયદો છતાં નુકસાની વેઠવી પડી રહી છે.
આ પણ વાંચોCold-weather: સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા રવિ પાકને ફાયદો
ખેડૂતોની મહેનત પાણીમાંઃજિલ્લામાં શિયાળામાં ખેડૂતો ફ્લાવર, રિંગણ, કોબી સહિત વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં ઉત્પાદન લેતા હોય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતું વાતાવરણ ખેડૂતોની સ્થિતિ બગાડી રહ્યું છે. ગત 10 દિવસોથી ઠંડી ઓછી પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા અને રાત્રે ઠંડી સાથે ભેજ પડવાના કારણે શાકભાજી પાકોમાં જીવાત પડી ગઈ છે. જીવાતજન્ય રોગના કારણે તૈયાર પાકમાં નુકસાની થવાની સંભાવનાને જોતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરી પાક બચાવ્યો હતો, તેમ છતાં તેની ગુણવત્તા પર અસર જોવા મળી છે. આના કારણે ખર્ચો કર્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ નથી મળી રહ્યા.