ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 125 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 892 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી.

By

Published : Apr 26, 2021, 10:51 PM IST

નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા
નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

  • જિલ્લામાં 892 એક્ટિવ કેસ
  • સોમવારે 50 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
  • આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં

નવસારીઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને જેને કારણે જિલ્લામાં હોમ આઇસોલેશન દર્દીઓ પણ વધી રહ્યા છે. નવસારીમાં આજે સોમવારે 125 લોકો કોરોના સંક્રમિત થતા, જિલ્લામાં કુલ 892 એક્ટિવ દર્દીઓ થયા છે અને તેઓ સારવાર હેઠળ છે. બીજી તરફ આજે સોમવારે 50 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. જયારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મોત નોંધાયું નથી.

નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

જિલ્લામાં કુલ 3279 કોરોના પોઝિટિવ દર્દીઓ

જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોના દર્દીઓની સંખ્યા 100થી વધી રહી છે. જેને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3279 દર્દીઓ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં કુલ 2280 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 107 દર્દીઓના મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.

નવસારીમાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details