રાજ્યના 33 જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ બીજા નંબરે 12368 બાળકો કુપોષિત છે, તેમાંય અભ્યાસ કરતા 33 ટકા બાળકો કુપોષિત એટલે કે ઓછુ વજન ધરાવે છે. સરકાર દ્વારા આ બાળકો માટે પૌષ્ટિક આહાર આપવાના દાવા વચ્ચે બાળકો તંદુરસ્ત કેમ નથી તે જાણવા ઈટીવી ભારતની ટીમ આજે કેટલીક આંગણવાડીની મુલાકાતે પહોંચી હતી. જ્યાં બાળકો પૌષ્ટિક આહારના અભાવે નહીં પરંતુ ઈન્ફ્રાસ્ટ્કચરની ઉણપ અને રમવાના સાધનોના અભાવને કારણે કુપોષિત હોવાની વિગતો સામે આવી છે. અહીં આંગણવાડીના મકાનની છત તૂટેલી હાલતમાં જોવા મળી હતી. શું કહે છે આ અંગે શું કહે છે આંગણવાડી સંચાલક બહેનો તે સાંભળીએ.
નર્મદા જિલ્લાનાં કુપોષિત બાળકો માટે કોણ જવાબદાર
નર્મદાઃ રાજ્યભરમાં નર્મદા જિલ્લો બીજા નંબરે સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નર્મદા જિલ્લાના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન આપવા છતાં કુપોષણ બાબતે જિલ્લો હજીએ પછાત છે તે કડવી વાસ્તવિકતા છે.
જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા ગુજરાતમાં બીજા નમ્બરે છે તે વાત અહીંના જિલ્લા વિકાસ અધિકારી જિન્સી વિલ્લીઅમ ખુદ સ્વીકારી રહ્યાં છે. પરંતુ તેઓનું કહેવું છે કે અમારા પ્રયત્ન છે કે બાળકો સુપોષિત થાય. તે માટે અમે નિષ્ણાંતોનાં સલાહસૂચન લઈને બાળકોના જમવામાં ફેરફાર કરીએ છે.
કુપોષણ એ બાળકો માટે સહુથી મોટું દુષણ છે અને તેને સુધારવા સરકાર દ્વારા સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સરકાર દ્વારા કરાયેલા પ્રયત્નો છતાં બાળકો ઓછા વજનના કુપોષિત હોય છે. ત્યારે આ આ પરિસ્થિતિ કેમ ઉભી થાય છે તે માટે સરકાર અને સમાજે વિચાર કરવો પડશે અને તેને દૂર કરવામાં એકબીજાના સહયોગથી આગળ વધવું પડશે તે નિશ્ચિત છે.