ગુજરાત

gujarat

By

Published : Aug 8, 2019, 11:49 AM IST

ETV Bharat / state

PM નરેન્દ્ર મોદી કેવડિયા જંગલ સફારી પાર્કને 31મી ઓક્ટોબરે ખુલ્લું મુકશે

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેની સાથે 30 જેટલા પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ કરાશે.

જંગલ સફારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી નર્મદામાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી બનશે. જે પ્રવાસીઓ માટે એકદમ જંગલ ટાઈપ અને સુવિધાથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. જેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આવનારા સમયમાં ઓપનિંગ થશે તેવા બોર્ડ પણ લાગી ગયા છે. પ્રવેશદ્વારનું પણ મઠારવાનું કામ થઇ રહ્યું છે. ત્યારે આ જંગલ સફારી પાર્કને 31 ઓક્ટોબર પહેલા તૈયાર કરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

જંગલ સફારી

આ સફારીની ખાસ વિશેષતા એ છે કે તેમા ઇકો મોટરથી પ્રવાસીઓ ફરી શકશે. 7 ઝોનમાં અલગ અલગ પ્રાણીઓ રહેશે. સપાટ સફારીની જગ્યાએ જંગલ લૂક આપવામાં આવ્યો છે. જેને લીધે પ્રવાસીઓને જંગલમાં ફરતા હોય તેવો અનુભવ થશે.

ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓને લઇ અવાશે. જૂનાગઢના સક્કરબાગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લઇ અવાશે. ભારત જ નહીં પરંતુ વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ, 1800થી વધુ પશુ પક્ષીઓ અને જળચર, સરીસૃપો લઇ અવાશે.

જુઓ, કયા-કયા પ્રાણીઓ લાવવામાં આવશે

સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઉરાન ઉતાનગ, રિછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓમાંથી વિદેશી કાંગારુ, રિંછ, ચિમ્પાનઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર, ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહીંયા સફારી પાર્ક ખાતે લઇ અવાશે.

જુઓ, સ્ટેચ્યુની આજુ-બાજુ ક્યા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે

સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટો બનશે.

ABOUT THE AUTHOR

...view details