મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામમાં એક કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામમાં જેન્તીભાઈ હંસરાજભાઈ દેત્રોજાની મારીહારા નામે ઓળખાતી વાડીના કુવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મોરબીના ટંકારાના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી : ટંકારાના ખીજડીયા ગામે કુવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. જેમાં કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી યુવાનની હત્યા થઇ છે કે, આપધાતનો બનાવ તે હજી સ્પષ્ટ થયું નથી. તેમજ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
મોરબી
જો કે, કુવામાંથી મળી આવેલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોય જેથી હાલ યુવાનની હત્યા થઇ છે કે, આપઘાતનો બનાવ છે. તે સ્પષ્ટ થયું નથી. જેમાં પોલીસ ટીમે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો હતો. તેમજ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ અજાણ્યા યુવાનના મોતનું સાચું કારણ જાણી શકાશે. બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મેળવવા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.