ગુજરાત

gujarat

By

Published : Aug 2, 2021, 6:30 AM IST

ETV Bharat / state

મોરબીમાં લજાઈ ભીમનાથ મહાદેવ નજીક ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત

રાજકોટ-મોરબી હાઈવે પર લજાઈ પાસે આવેલા ભીમનાથ મહાદેવના મંદિર પાછળ ન્હાવા જતા મોરબીના ત્રણ યુવાનોના મોત થયા હતા. યુવાનોના મોતથી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત
ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત

  • ફ્રેન્ડશીપ ડે હોવાથી મિત્રો ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા
  • મંદિરની પાછળની તરફ આવેલા ડેમી-2માં ન્હાવા માટે કેટલાક યુવાનો પડ્યા
  • ભીમનાથ મહાદેવ નજીક ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત થયા

મોરબી :ગઇકાલે ફ્રેન્ડશીપ ડે હોવાથી મોરબીના રેહતા કેટલાક યુવાન મિત્રો મોરબી રાજકોટ હાઇવે પાસે લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જ્યાં મંદિરની પાછળની તરફ આવેલા ડેમી-2માં ન્હાવા માટે કેટલાક યુવાનો પડ્યા હતા. જેમાંથી ત્રણેય યુવાનો ડૂબી જતા ગ્રામજનોને મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થાનિક લોકોએ બે યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

3 મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

એક યુવાનના મૃતદેહને ફાયર ટીમે બહાર કાઢ્યો હતો. ત્રણેય યુવાનોના મૃતદેહ શોધી પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ પસેથી મળતી વિગત મુજબ ઘટનામાં મોરબીના દિપક દિનેશભાઇ હડિયાલ (ઉ.વ.-19 ), રિશી ભાવેશભાઈ દોશી (ઉ.વ.-17), સ્વયં જેઠાભાઇ નંદા (ઉ.વ.-17)નું કરુણ મૃત્યુ થયુંં હતું. આ અગાઉ પણ ભીમનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ ડેમી-2 ડેમના ઠેલના ભાગમાં મોરબીના મહિલાઓના મૃત્ય નિપજ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details