ગુજરાત

gujarat

By

Published : Jul 19, 2019, 1:29 PM IST

Updated : Jul 19, 2019, 2:09 PM IST

ETV Bharat / state

મહેસાણાઃ સન્માન સાથે નીકળી શહીદ પ્રવીણસિંહની અંતિમયાત્રા

મહેસાણા: જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાનનું કાશ્મીરમાં ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ શુક્રવારે આર્મી દ્વારા સન્માન સાથે જવાનના પાર્થિવ દેહને તેના વતન લઈ જઈ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

સ્પોટ ફોટો

સામાન્ય રીતે સૌ કોઈ જાણીએ છીએ કે, ભારતીય આર્મી એટલે દેશને લોખંડી સુરક્ષા વચ્ચે દેશવાસીઓ માટે સમર્પિત એક જીવન છે ત્યારે આર્મીમાં જોડાનાર દરેક ભારતીય જવાન પોતે પોતાના પ્રાણ હથેળી પર જ રાખતો હોય છે. આવા જ એક જાહબાઝ જવાન મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના કુડા ગામેથી 4 વર્ષ પહેલા આર્મીમાં રાષ્ટ્ર સેવા અને સુરક્ષા માટે જોડાયા હતા.

મહેસાણાના શહીદનો પાર્થિવદેહને વતન લવાયો

કુડા ગામના 24 વર્ષીય આર્મી જવાન પ્રવીણસિંહ ઠાકોર હાલમાં કાશ્મીર ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને એક માસ પહેલા જ તેમણે દાંપત્ય જીવનની શરૂઆત કરતા લગ્ન ગ્રંથીથી જોડાઈ જીવનસંગીની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પરંતુ પ્રવિણસિંહ એક આર્મી જવાન હોવાથી લગ્ન બાદ પોતાની પહેલી ફરજ રાષ્ટ્ર સેવા અને સુરક્ષાને માનતા તેઓ પોતાની 508 ASC આર્મી બટાલિયનમાં કાશ્મીર ખાતે ફરજ પર હાજર થયા હતા. જ્યાં પ્રવીણસિંહ સાથે આકસ્મિક રીતે એક દુઃખદ ઘટના ઘટી, જેમાં પ્રવીણસિંહએ પોતાના પ્રાણ ગુમાવ્યા.

શુક્રવારે આ જવાનના પાર્થિવ દેહને જન્મભૂમિ ખેરાલુના કુડા ગામે લાવી આર્મી દ્વારા પૂર્ણ સન્માન સાથે ખેરાલુ તાલુકા પંથકમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકોએ એકત્ર થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વિરજવાનને ભરતમાતાના ખોળે અંતિમ વિદાય આપી હતી. જયહિંદ અને જય જવાનના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

Last Updated : Jul 19, 2019, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details