- મહેસાણામાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ રસી લેનારા તબીબોએ પોતાનું અનુભવ વ્યક્ત કર્યો
- આજે 5 સ્થળોએ વેક્સિનેશનનો પ્રારંભ
- 500 ડોઝ રસીના એક જ દિવસમાં અપાશે
મહેસાણાઃકોરોના મહામારી સમયે દવા ન હતી માત્ર દુઆ પર આધાર હતો, ત્યારે આજે દુઆ બાદ દવા એટલે કે રસી સામે આવી છે, ત્યારે દેશમાં વડાપ્રધાને શરૂ કારાવેલ રસીકરણને પગલે મહેસાણા જિલ્લામાં પણ 5 જગ્યાએ રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને રસી માટે રજીસ્ટ્રેશન થકી બોલાવી રસી આપવામાં આવી છે. તો વડનગર મેડિકલ કોલેજના ડીન સુનિલભાઈ ઓઝા અને RMO સુરેશભાઈ પટેલે સર્વ પ્રથમ રસીનો ડોઝ લઈ જાતે જ અનુભવ કર્યા બાદ આ રસી જોખમી ન હોવાની વાત રજૂ કરી હતી. લોકોને રસી લેવા માટે પ્રેરણા પુરી પાડી છે.