- પુત્ર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં અને પિતાનું દેહાંત થયું
- સારવાર મેળવી રહેલો પુત્ર પિતાના અંતિમ દર્શન પણ કરી ન શક્યો
- પુત્રની હાર્ટની સારવાર ચાલતી હોવાથી સમાચાર આપી શકાયા નહી
બાલાસિનોર: બાલાસિનોરની કરુણા નિકેતન હાઈસ્કૂલના નિવૃત શિક્ષક હેતલભાઈ પરીખને કોરોનાની અસર જણાતા બાલાસિનોરની KMG સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બાવળામાં રહેતા તેમના પિતા મફતભાઈ વસંતલાલ પરીખનું 8મી એપ્રિલના રોજ અવસાન થયું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા તેમના પુત્ર હેતલભાઈની કોરોના માટે સારવાર ચાલતી હોવાથી અને તેમને અગાઉ હાર્ટની સારવાર કરાવી હોવાથી તેમના આરોગ્યની જાળવણીને ધ્યાનમાં રાખીને પિતાના મૃત્યુના દુ:ખદ સમાચાર તરત જ આપી શકાય તેમ ન હતા. પરંતુ, 3 દિવસ બાદ તેમના આરોગ્યમાં સુધારો જણાતાં તેમને પિતાજીના અવસાનની જાણ કરવામાં આવી હતી.