ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2020, 10:57 PM IST

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 725 થયો

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. આજે શનિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 3, સંતરામપુરમાં 2 અને લુણાવાડામાં 3 નવા કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 725 થઈ છે.

Mahisagar corona Update
Mahisagar corona Update

મહીસાગર : જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં કોરોનાના 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શનિવારે વધુ 2 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 613 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 36 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 725
  • કુલ સક્રિય કેસ - 75
  • કુલ ડિસ્ચાર્જ - 613
  • કુલ મોત - 36
  • કુલ હોમ ક્વોરેન્ટાઈન - 380
  • કુલ અત્યાર સુધી નેગેટિવ રિપોર્ટ - 28209

મહીસાગર જિલ્લામાં કોરોનાના 29 દર્દીઓ KSP હોસ્પિટલ-બાલાસિનોર, 9 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 5 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 9 દર્દીઓ SDH-સંતરામપુર, 21 દર્દી હોમ આઈસોલેશન તેમજ અન્ય 2 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 71 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 4 દર્દી ઓક્સિજન પર છે. હાલ જિલ્લામાં 75 દર્દીઓ સારવાર હેઠળ છે

ABOUT THE AUTHOR

...view details