ગુજરાત

gujarat

મહીસાગરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 594 પર પહોંચ્યો

By

Published : Aug 21, 2020, 8:39 AM IST

મહીસાગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ગુરુવારે જિલ્લામાં વધુ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં નવા નોંધાયેલા કેસમાં લુણાવાડા ગ્રામ્ય વિસ્તારમાં -7 અને સંતરામપુર ગ્રામ્યમાં-1 કેસ મળી કુલ 8 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 594 પર પહોંચી છે.

8 cases of corona were reported in the mahisagar
મહીસાગરમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, કુલ 594

મહીસાગર: જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ.એસ.બી.શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 14,357 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 380 લોકોને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ 6 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં 478 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે.

જ્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ બાલાસિનોરની KSP હોસ્પિટલ, 8 દર્દી જનરલ હોસ્પિટલ- લુણાવાડા, 21 દર્દી હોમ આઈસોલેશન, 11 દર્દી શીતલ નર્સીંગ હોમ- લુણાવાડા, 6 દર્દી SDH સંતરામપુરમાં તેમજ અન્ય 19 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 78 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

ABOUT THE AUTHOR

...view details