કચ્છઃ કોરોના મહામારીની કહેર વચ્ચે ભુજમાં લોકડાઉનની સ્થિતીમાં લોકોના સહકાર ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ખુદ નાયબ કલેક્ટરની તપાસમાં આ સ્થિતી સામે આવતા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જે દિશાનિર્દેશ અપાયા છે તેનું પાલન થતું નથી.
લોકો જ સહકાર નહીં આપે તો આગામી દિવસોમાં કડકાઈ સાથે તંત્ર વધુ કાર્યવાહી કરશે, પણ સૌથી વધુ અસરકાકર અમલ ત્યારે જ થઈ શકશે. જ્યારે લોકો સમજણ સાથે સહકાર આપશે. આ વચ્ચે ભુજમાં ચાર નાયબ મામલતદારને એકિઝીક્યુટીવ મેસ્જીસ્ટેટ તરીકેના પાવર આપીને સામાજિક અંતર અને લોકડાઉનનો ચુસ્ત કડકાઈ સાથે પાલન કરવાાનો આદેશ કરાયો છે.
ભુજના સંજોગનગ, રેલવે સ્ટેશન, આલાવાળા કબ્રસ્તાન, ભીડ ગેટ, ભીડબજાર, શરાફ બજાર સહિતના અનેક વિસ્તારોમાં લોકડાઉન હોય જ નહીં તેવી સ્થિતી જોવા મળી રહી છે. બપોરે 12 વાગ્યા પછી ઈમરજન્સી સિવાય બહાર નિકળવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો માર્ગો પર જોવા મળી રહ્યાં છે.