ગુજરાત

gujarat

ગુજરાત અંગદાનના દિવસે ઇતિહાસ રચી શકે છે, જાણો આ અનોખા કેમ્પ વિશે

By

Published : Nov 25, 2019, 2:56 AM IST

ગાંધીધામ: આગામી ૨૭ નવેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવશે, જેની આગોતરી ઉજવણી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહી છે. જેને લઇને અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સહિતના દાન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ વધે તે માટે સંકલ્પ કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીધામ ખાતે આયોજિત એક રામકથામાં મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા હતાં,

અંગદાન અંગે જાગૃતિ લઇ આવવા કેમ્પ શરૂ કર્યા

ગાંધીધામ મારવાડી યુવા મંચ દ્વારા અંગદાન સહિતના દાન ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પને લઇને પ્રમુખ જીતેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય મારવાડી મંચની દેશભરમાં આવેલી ૭૦૦થી વધુ શાખાઓ સાથે મળીને આગામી 27મી નવેમ્બરના અંગદાન દિવસની ઉજવણી કરશે. દેશભરમાં મરને કે બાદ બીજી વન થીમ પર અમારી શાખા લોકો સમક્ષ જઇને આ જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે. મારવાડી યુવા મંચની તમામ શાખા આગામી ૨૭ નવેમ્બર પહેલા લોકો પોતાની રીતે જ જાગૃત બનીને નેત્રદાન અંગદાન માટે સંકલ્પ રજૂ કરે તેની કામગીરી કરી રહ્યા છે.

અંગદાન અંગે જાગૃતિ લઇ આવવા કેમ્પ શરૂ કર્યા
મારવાડી યુવા મંચની સમગ્ર ગુજરાતમાં ૧૫ જેટલી શાખાઓ આવેલી છે. આ તમામ શાખાઓ આ કામગીરી પૂર્ણ કરશે. ગુજરાતમાંથી પાંચ હજાર જેટલા લોકો અંગદાન માટે સંકલ્પ પત્ર મળે તેવી લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details