કચ્છમાં ઉજવાયો વન મહોત્સવ, પોલીસ તંત્રએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ - વન મહોત્સવ
કચ્છઃ પૂર્વ કચ્છ પોલીસવડાની ગાંધીધામ કચેરી ખાતે વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વૃક્ષારોપણ માટે સૌ કોઈ પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવુ આહવાન કર્યુ હતું.

ETV BHARAT
રાજ્યપ્રધાન વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની હાજરીમાં યોજાયેલા ક્રાર્યક્રમમાં પોલીસવડા પરિક્ષીતા રાઠોડે પ્રદૂષણમુકત જીવન જીવવા વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું. પ્રકૃતિની જાળવણીના કાર્યક્રમ હેઠળ યોજાયેલા આ વન મહોત્સવ અંતર્ગત હેડક્વાર્ટર અને તમામ પોલીસ મથકોએ કુલ 4000 જેટલાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે.