ભૂજઃ કચ્છમાં તંત્રએ આગોતરી તૈયારીના ભાગરૂપે ગાંધીધામની સ્ટર્લિગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને ધ ગુજરાત એપેડમીક રેગ્યુલેશન 2020 હેઠળ કલેક્ટર દ્વારા હસ્તગત લેવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તેને 150 બેડવાળી કોવીડ-19ના માપદંડો આધારિત હોસ્પિટલ તૈયાર કરાશે. હાલ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સામાજિક અને પછાત કલ્યાણ વર્ગોના રાજયપ્રધાન વાસણભાઇ આહિર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. એ આરોગ્ય તંત્ર સાથે કોરોના વાયરસ કોવીડ-19ની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા પૂર્વ કચ્છની મુલાકાત લીધી હતી. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને ગાંધીધામની સ્ટર્લિગ હોસ્પિટલ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલની માહિતી મેળવી હતી.
કચ્છમાં તંત્રની આગોતરી તૈયારી, 150 બેડની 3 કોવીડ-19 હોસ્પિટલનું આયોજન
કચ્છમાં ગાંધીધામની સ્ટર્લિગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને આગામી સમયમાં 150 બેડવાળી કોવીડ-19ના માપદંડો આધારિત હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે મુદ્દે કલેક્ટર, ધારાસભ્ય અને અન્ય અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
ગાંધીધામની સ્ટર્લિગ હોસ્પિટલ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલને ટુંક સમયમાં જ કોવીડ- 19 ના માપદંડો આધારિત તૈયાર કરવામાં આવશે. સ્ટર્લિગ હોસ્પિટલમાં 100 અને હરી ઓમ હોસ્પિટલમાં 50 અને ભુજની વાયબલ હોસ્પિટલમાં 22 જેટલી બેડવાળી આઈસોલેશન હોસ્પિટલ કલેકટરની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવશે.
આ અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર તેમજ સ્થાનિક અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને તબીબો હાજર રહ્યા હતા.