ખેડાઃ જિલ્લાના મહુધાના અલીણામાં પિતા દ્વારા પુત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. હાલ લોકડાઉન હળવું થતા પોતાની દીકરીના ઘરે રહેતા માતા-પિતા પોતાના ઘરે પરત ફરતા પુત્ર દ્વારા તેઓને ઓળખવાનો ઈન્કાર કરી પાછા ચાલી જવાનું જણાવ્યું હતું.
આ બાબતે મામલો બિચકતા પિતા દ્વારા પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હતી. જે મામલે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહુધા તાલુકાના અલીણાના સાંકળીયાની મુવાડી ખાતે રહેતા શકરાભાઈ પરમાર પોતાની પત્નિ ડાહીબેન સાથે છેલ્લા ત્રણેક માસથી કોરોનાને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આણંદના વલાસણ ગામે પોતાની દીકરીના ઘરે રોકાઈ ગયા હતા.