ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં આસ્થા સમાન 'લીમડામાં એક ડાળ મીઠી'ને 1.43 કરોડના ખર્ચે વિકાસવવામાં આવ્યું

ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ભગવાન રણછોડરાયજી સાથે જોડાયેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ 'લીમડામાં એક ડાળ મીઠી' તરીકે પ્રસિદ્ધ થયેલું છે. જ્યાં ભગવાનના પગલા પડ્યા હતા. તે પગલા મંદિરને જીલ્લા પ્રવાસન સમિતિ દ્વારા 1.43 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું હતું. રણછોડરાયજી મંદિરમાં ભગવાન કલાત્મક કેવડાના હિંડોળા પર ઝુલ્યા હતા. હિંડોળા ઉત્સવ અંતર્ગત વિશેષ મોટો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો.

By

Published : Jul 30, 2019, 3:23 PM IST

ડાકોરમાં શ્રદ્ધાળુઓનાં આસ્થા સમાન લીમડામાં એક ડાળ મીઠી 1.43 કરોડના ખર્ચે વિકસાવાયુ

લીમડામાં એક ડાળ મીઠી તરીકે સુપ્રસિદ્ધ આ સ્થળે લોકોક્તિ મુજબ ડાકોરના કૃષ્ણ ભક્ત બોડાણા સાથે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી ડાકોર આવતા હતા, ત્યારે સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું હતું. ભક્ત બોડાણા જ્યારે સવારે ઊઠ્યા તો દાતણ માટે ભગવાને લીમડાની ડાળ પકડી હતી. જે ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળ મીઠી થઈ ગઈ હતી. આ સ્થાન ડાકોર નજીક ડાકોર-ઉમરેઠ માર્ગ પર સીમલજમાં આવ્યું છે. આ સ્થાને ભગવાનના પાવન પગલાં પડ્યા હોવાથી રણછોડરાયજીનું નાનકડું પગલાં મંદિર પણ છે. જ્યાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક દર્શને આવતા હોય છે. શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન આ સ્થળને વિકસાવવામાં આવ્યું છે. ડાકોરના રાજાધિરાજા રણછોડરાયના દર્શને આવતા શ્રદ્ધાળુઓ આ સ્થળે ભક્તિભાવ પૂર્વક માથું ટેકવે છે. આ સ્થળે સુંદર બગીચો, પાર્કિંગ, કેન્ટીન, સ્કલ્પચર, ટ્રી સ્કલ્પચર, ગેટ સ્કલ્પચર, વોટર રૂમ, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા ઉભી કરવામાં આવી છે. આ સ્થાન વિકસાવવામાં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે.

ડાકોરમાં શ્રદ્ધાળુઓનાં આસ્થા સમાન લીમડામાં એક ડાળ મીઠી 1.43 કરોડના ખર્ચે વિકસાવાયુ
ડાકોરમાં શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન લીમડામાં એક ડાળ મીઠી 1.43 કરોડના ખર્ચે વિકસાવાવ્યુ

ABOUT THE AUTHOR

...view details